શોધખોળ કરો

World Environment Day: કેમિકલ ફ્રી થશે ખેતી, નમામિ ગંગેને મળશે નવી તાકાતઃ માટી બચાવો આંદોલન કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી

દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો.લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે.

World Environment Day:  દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં ભારતનાં પ્રયાસો ફળદાયી રહ્યાં છે. જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા નહિવત છે ત્યારે ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વિશ્વના મોટા આધુનિક દેશો પૃથ્વીના સંસાધનોનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન તેમના ખાતામાં જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, "આ વર્ષના બજેટમાં, અમે ગંગા કિનારે આવેલાં ગામડાંઓમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો, પ્રાકૃતિક ખેતીનો વિશાળ કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી આપણાં ખેતરોને માત્ર રસાયણ મુક્ત જ નહીં થાય, પરંતુ નમામિ ગંગે અભિયાનને પણ નવું બળ મળશે.

દેશના લોકોને જળ સંરક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે - પ્રધાનમંત્રી

વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, "આ પહેલા આપણા દેશના ખેડૂત પાસે તેની પાસે કેવા પ્રકારની માટી છે, તેની માટીમાં શું ઉણપ છે વગેરેની જાણકારીનો અભાવ હતો. આ સમસ્યાને દૂર કરવા માટે દેશના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમે કેચ ધ રેઇન જેવા અભિયાન દ્વારા દેશના લોકોને જળસંચય સાથે જોડી રહ્યા છીએ. આ વર્ષે માર્ચમાં દેશની 13 મોટી નદીઓના સંરક્ષણનું અભિયાન પણ શરૂ થઈ ગયું છે. જેમાં પાણીમાં પ્રદૂષણ ઘટાડવાની સાથે સાથે નદીઓના કિનારે જંગલોનું વાવેતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

તમારે આ પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

"જમીનને બચાવવા માટે, અમે પાંચ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલું- જમીનને કેમિકલરહિત કેવી રીતે બનાવી શકાય. બીજું, જમીનમાં રહેતા જીવોને કેવી રીતે બચાવી શકાય, જેને તકનીકી ભાષામાં તમે માટીના કાર્બનિક પદાર્થો કહો છો. ત્રીજું, જમીનમાં ભેજને કેવી રીતે જાળવવો, તેમાં પાણીની ઉપલબ્ધતા કેવી રીતે વધારવી. ચોથું, ભૂગર્ભ જળના ઘટાડાને કારણે જમીનને થયેલા નુકસાનને કેવી રીતે દૂર કરવું અને પાંચમું, જંગલોના વ્યાપમાં ઘટાડો થવાને કારણે જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget