શોધખોળ કરો
ગુજરાતમાં ભાજપ 53 ધારાસભ્યોને ફરી ટિકીટ નહીં આપે, હાઈકમાન્ડને મોકલાઈ યાદી, જાણો વિગત
1/6

ચોથો માપદંડ પક્ષવિરોધી પ્રવૃત્તિનો છે. જે ધારાસભ્યની વફાદારી સામે સહેજ પણ શંકા હોય તેવા ધારાસભ્યોને પડતા મૂકવાનો નિર્ણય લેવાયો છે. પાંચમો માપદંડ જ્ઞાતિનાં બદલાયેલાં સમીકરણો છે. પાટીદાર અને ઠાકોર આંદોલનના કારણે બદલાયેલી સ્થિતીમાં જીતી ના શકે તેવા ઉમેદવારોને પડતા મૂકવાનું નક્કી કરાયું છે.
2/6

ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપે તેના વર્તમાન 123 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનો નિર્ણય લીધો છે. આ 53 ધારાસભ્યોને સ્થાને ભાજપ નવા ચહેરાઓને ટિકીટ આપશે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન અને ઠાકોરોના આક્રમક વલણને કારણે ભાજપે આ નિર્ણય લીધો છે.
Published at : 22 May 2017 11:15 AM (IST)
View More























