આ ઉપરાંત પોલીસ કમિશનરની કચેરીએ આદેશ કર્યો છે કે, જે પણ કાયદાનો ભંગ કરશે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે.
2/5
અમદાવાદઃ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા કેટલાય સમયથી ફિલ્મ પદ્માવતના રિલીઝનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલાય થિયેટરોએ ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે અમદાવાદના સાત થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવશે.
3/5
આ તમામ થિયેટરો ખાતે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક મલ્ટીપ્લેક્ષ ખાતે એક પીએસઆઇ અને એસઆરપીની એક પ્લાટૂન તૈનાત કરાશે.
4/5
આ ઉપરાંત સેટેલાઇટ ખાતે આવેલા કે સેરાસેરા(એસ.જી. હાઈવે, ઇશ્કોન મંદિર સામે), મુક્તા સિનેમા(ગુલમોહરપાર્ક મોલ) અને સિનેમેક્સ પીવીઆર(દેવાર્ક મોલ) ખાતે પણ ફિલ્મ રિલીઝ થશે.
5/5
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા આલ્ફાવન સીનેપોલીસ સિનેમા, હીમાલયા મોલ, એક્રોપોલીસ સિનેમા અને ડ્રાઇવ-ઇન સિનેમા ખાતે પદ્માવત ફિલ્મ રિલીઝ થશે.