જ્યારે એ.એમ. મુનીયા, એમ.જે. ચાવડા અને ઉષા રાડાને 2016ની બેચના આઇપીએસ અધિકારી તરીકે પસંદ કરાયા છે. એન.કે. અમીનના કેસમાં તેમની આઇપીએસ તરીકે બઢતી શરતી છે. એન.કે. અમીન તેમની સામેના ફોજદારી ગુનાઓમાં નિર્દોષ ઠરે તે શરતને આધિન પ્રમોશન અપાયું છે.
2/3
અમદાવાદઃ ગુજરાતના પાંચ પોલીસ અધિકારીને આઇપીએસ તરીકે બઢતી મળી છે. યુપીએસસીએ સિલેકશન કમિટીની ભલામણના આધારે ગુજરાત પોલીસ સર્વિસના પાંચ અધિકારીઓની આઈપીએસ માટે પસંદગી કરાઈ છે. આ પાંચ અધિકારીઓમાં એક મહિલા પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે.
3/3
આઇપીએસ તરીકે બઢતી કરાયેલા પોલીસ અધિકારીઓમાં એન.કે.અમીન, એસ.વી.પરમાર, એ.એમ.મુનીયા, એમ.જે.ચાવડા અને ઉષા રાડાનો સમાવેશ થાય છે. આ પૈકી એન.કે. અમીન અને એસ.વી. પરમારને 2015ની બેચના આઇપીએસ અધિકારી તરીકે સિલેક્ટ કરાયા છે.