શોધખોળ કરો
હોમઅમદાવાદGPSCએ જાહેર કર્યું આખા વર્ષનું એક્ઝામ કેલેન્ડર, કુલ 2623 ઉચ્ચ સરકારી અધિકારીઓની ભરતી, જાણો ક્યારે યોજાશે કઈ પરીક્ષા ?
GPSCએ જાહેર કર્યું આખા વર્ષનું એક્ઝામ કેલેન્ડર, કુલ 2623 ઉચ્ચ સરકારી અધિકારીઓની ભરતી, જાણો ક્યારે યોજાશે કઈ પરીક્ષા ?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 30 Jan 2018 10:52 AM (IST)
1/7

આગામી જુલાઇ મહિનામાં વહિવટી ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રમાં કુલ 153 ભરતી થવાની છે. જેમાં સૌથી વધુ ગુજરાત વહ8ીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા વર્ગ-2 માટે અંદાજે 100 ભરતી કરવાની છે. જ્યારે ઇન્ડસ્ટ્રિય પ્રમોશન ઓફિસર(કમિશનર, કુટિર અને ગ્રામ ઉદ્યોગની કચેરી હેઠળ), વર્ગ-2ની 17 ભરતી જ્યારે સહાયક રાજ્ય વેરા કમિશનર, વર્ગ-1 માટેની 15 ભરતી થવાની છે.
2/7

અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ(જીપીએસસી) દ્વારા વર્ષ 2018 દરમિયાન યોજાનારી વિવિધ જગ્યાઓ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જીપીએસસી દ્વારા જેની સીધી કે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે. આ અંગેની માહિતી જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. 2018માં કુલ 2623 ભરતી કરાવાની છે. વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે.
3/7

એપ્રિલ મહિનામાં મેડિકલ વિભાગને લગતી 80 ભરતી થવાની છે. જેમાં સૌથી વધુ પેથોલોજી ટ્યુટર, વર્ગ-2ની 15 ખાસ ભરતી થવાની છે, તે સિવાય બીજી સાત જગ્યાઓ પણ ભરવાની છે.આ ઉપરાંત મદદનીશ ચેરીટી કમિશનર, વર્ગ-1 માટેની 11ની ભરતી થવાની છે. આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગમાં વર્ગ-2 માટે 8 વહીવટી અધિકારીની ભરતી થવાની છે.
4/7

આગામી મે મહિનામાં વિવિધ ખાતાઓમાં કુલ 43 ભરતી થવાની છે, જેમાં સૌથી વધુ માઇક્રોબાયોલજીસ્ટ, વર્ગ-1(કા.રા.વિ.યો) માટે 18ની ભરતી થવાની છે. જ્યારે જૂન મહિનામાં કુલ 44 ભરતી થવાની છે, જમાં સૌથી વધુ ગુજરાત સ્કીલ ટ્રેનિંગ સર્વિસિઝ, વર્ગ-2મા 30 આચાર્યની ભરતી થવાની છે.
5/7

નવેમ્બર મહિનામાં કુલ 345 ભરતી થવાની છે, જેમાં સૌથી વધુ 212 ભરતી મદદનીશ ઇનજનેર(સિવિલ), વર્ગ-2 માર્ગ અને મકાન વિભાગ) માટે થવાની છે. ઉપરાંત રેડિયોલોજીસ્ટ, વર્ગ-2(તજજ્ઞ સેવા) માટે 45 અને ઇ.એન.ટી સર્જન વર્ગ-1(તજજ્ઞ સેવા) માટે 24ની ભરતી થવાની છે. સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-3 માટેની 25 ભરતી થવાની છે. માઇક્રોબાયોલોજીલસ્ટની 18, તેમજ પેથોલોજીસ્ટ માટેની 16 ભરતી થવાની છે.
6/7

આગામી ઓગસ્ટ મહિનામાં કુલ 1572 ભરતી થવાની છે. જેમાં તબીબી અધિકારી, વર્ગ-2 માટેની 1450 ભરતી થવાની છે. ઉપરાંત વીમા તબીબી અધિકારી(એલોપથીક), વર્ગ-2 (કા.રા.વિ.યો) માટેની 96, ખેતી અધિકારી, વર્ગ-2 માટેની 35, જ્યારે રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 50 ભરતી થવાની છે. તેમજ સરાકીર હોમિયોપેથી કોલેજમાં વિવિધ વિષયના સાત રીડરની ભરતી પણ થવાની છે.
7/7

સપ્ટેમ્બર મહિનામાં કુલ 322 ભરતી થવાની છે. જેમાં સૌથી વધુ નાય સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3 માટેની 287 ભરતી થવાની છે. ઉપરાંત સરકારી હોમિયોપેથી કોલેજમાં વિવિધ વિષયના સાત લેક્ચરરની ભરતી પણ થવાની છે. ઓક્ટોબર મહિનામાં કુલ 64 ભરતી થવાની છે, જમાં સૌથી વધુ આઇ.સી.ટી. ઓફિસર, વર્ગ-2 માટેની 31 અને ગુજારત ઇજનેરી સેવા(સિવિલ), વર્ગ-1-2ની કુલ 25 ભરતી થવાની છે.
Published at : 30 Jan 2018 10:52 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમદાવાદ
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમદાવાદ
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
ટ્રેન્ડિંગ સમાચાર






















