કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક મનાતા જનાર્દન દ્રિવેદીને કોંગ્રેસ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલી શકે છે. જો આમ થાય તો તમામ સમાજમાંથી દાવેદારી કરનાર નેતાઓને નિરાશા હાથ લાગી શકે છે.
2/3
અમદાવાદ: કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી દિલ્હી રવાના થશે. આજે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ ની બેઠક મળશે. રાજ્યસભા ચૂંટણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક યોજાશે.
3/3
આજે બેઠકમાં પ્રદેશના નેતાઓનો મત સાંભળી હાઇકમાન્ડ આખરી નિર્ણય લેશે. AICC મહામંત્રીઓ જનાર્દન દ્વિવેદી અને દિપક બાબરીયા ના નામ મોખરે ચાલી રહ્યા છે. આ ઉપરાંત દલિત નેતાઓ પી કે વાલેરા, કરસનદાસ સોનેરી અને રાજન પ્રિયદર્શી એ પણ ટિકિટ માટે દાવો કર્યો છે.