શોધખોળ કરો
'પદ્માવતી' ફિલ્મ મુદ્દે હાઈકોર્ટે શું આપ્યો આદેશ? જાણો વિગત
1/5

અમદાવાદઃ આજે ગુજરાત હાઈકોર્ટે પદ્માવતી ફિલ્મ સામે થયેલી જાહેર હિતની અરજી પર ચુકાદો આપ્યો હતો અને હાઈકોર્ટે આ તબક્કે હસ્તક્ષેપનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજદારને ટકોર કરી છે કે અરજદાર પોતાના વાંધાઓ અંગે સેંસર બૉર્ડમાં રજૂઆત કરે.
2/5

બીજી તરફ આ જ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ છે. ગુજરાત હાઇકોર્ટના જ એક વકીલે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટમાં થયેલી અરજીનો નિકાલ કરતા હાઇકોર્ટે આશા રાખી છે કે સેન્સર બોર્ડ આ વિવાદ અંગે જરૂરી નિર્ણય લેશે. સાથે જ જો સેંસર બોર્ડ અરજદારની રજૂઆત ન સાંભળે તો કોર્ટના દ્વાર ફરી ખખડાવવા હાઈકોર્ટે અરજદારને છૂટ આપી છે.
Published at : 08 Nov 2017 05:51 PM (IST)
View More





















