શોધખોળ કરો
કોંગ્રેસ છોડીને ભાજપમાં ને પછી ભાજપ પણ છોડનારા આ ભૂતપૂર્વ ધારાસભ્ય પવારની NCPમાં જોડાશે, જાણો વિગત
1/5

શંકરસિંહ વાઘેલાની સાથે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, તેમજ અમીત ચૌધરી (માણસા), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) અને રામસિંહ પરમાર (ઠાસરા) જોડાઇ શકે છે.
2/5

જો કે ભાજપમાં મહેન્દ્રસિંહની અવગણના કરવામાં આવતા મહેન્દ્રસિંહે ભાજપ સાથે પણ છેડો ફાડયો હતો. હવે બાપુની સાથે સાથે મહેન્દ્રસિંહ વાઘેલા પણ એનસીપીમાં જોડાઈ શકે છે. મહેન્દ્રસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી ઝંપલાવે તેવી પણ શક્યતા છે.
3/5

અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શરદ પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાશે તેવી પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં 29 જાન્યુઆરીS એનસીપીનું મહાસંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ જશે તેમ એનસીપીનાં સૂત્રોએ જણાવ્યું છે.
4/5

5/5

આ મહાસંમેલનમાં શરદ પવાર પણ હાજર રહેવાના છે અને પવારની હાજરીમાં શંકરસિંહ એનસીપીનો ખેસ ધારણ કરશે. બાયડના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહના પુત્રના મહેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા ચૂંટણી અગાઉ બાપુની સાથે જ સાથે કોંગ્રેસ જોડે છેડો ફાડયો હતો. ત્યાર બાદ મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા હતા.
Published at : 24 Jan 2019 10:40 AM (IST)
View More





















