શોધખોળ કરો
ગુજરાતના કયા આઠ શહેરોમાં રૂપાણી સરકાર બનાવશે નવી મહાનગરપાલિકા? જાણો વિગત
1/8

શહેરી વિકાસ વિભાગે આ અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે આગામી સમયમાં મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી-અર્થે રજૂ કરાય તેવી સંભાવના છે. શહેરી વિકાસ વિભાગમાં આ અંગેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે ગત થોડા સમય દરમિયાન મંત્રીમંડળની બેઠકમાં પણ ચર્ચામાં લેવાઈ હતી. જોકે, તે વખતે તેમાં કેટલીક ત્રૂટીઓ જણાંતા તેને સુધારવાની હિમાયત કરાઈ હતી. તે વખતે મંત્રીમંડળની બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે, ગુજરાતમાં આઈએએસ ઓફિસરોની તીવ્ર તંગી વર્તાઈ રહી છે.
2/8

ગાંધીનગર: ગુજરાતમાં હાલ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવી 8 મહાનગરપાલિકાઓ છે. જેનો સીધો રાજકીય અને આર્થિક લાભ, સત્તાધારી પક્ષ તથા મહાનગરોની વસિતને મળી રહ્યો છે. ગુજરાત સરકારે હવે, નડિયાદ, આણંદ, ભરૂચ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ અને મહેસાણા ‘અ’ વર્ગની નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવા અંગેની વિચારણા કરી રહી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Published at : 25 Apr 2018 11:31 AM (IST)
View More





















