ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલને બોર્ડની મંજૂરી ન હોવા છતાં ધોરણ 9 અને 10ના 32 વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ પાસેથી મહિને 700 રૂપિયાની ફી પણ ઉઘરાવવામાં આવતી હતી. જ્યારે બોર્ડના પરીક્ષાર્થીને હોલ ટિકિટ ન મળતાં સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ મોડી રાત્રે સ્થાનિક ધારાસભ્યના ઘરે રજૂઆત કરી હતી. ત્યારે સરકારે સમગ્ર મામલે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે.
2/3
32 વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શનિવારે એબીપી અસ્મિતાએ 5 વાગ્યાથી અભિયાન શરૂ કર્યું હતુ. અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણમંત્રી સુધી પહોંચાડી હતી. એબીપી અસ્મિતાની મૂહિમ બાદ ન્યૂ નવચેતન સ્કૂલના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
3/3
અમદાવાદ: મેઘાણીનગરમાં આવેલ ન્યૂ નવચેતન સ્કૂલની મંજૂરીને લઈને થયેલા વિવાદ બાદ આખરે રાજ્ય સરકારે કાર્યવાઈ કરી છે. ફરિયાદ બાદ મેઘાણીનગર પોલીસે આ કેસમાં ટ્રસ્ટી હરીશ દેસાઈ અને સુરેશ દવેની ધરપકડ કરી છે. જ્યારે બે ટ્રસ્ટીઓ ફરાર થઈ ગયા છે જેની શોધખોળ હાથ ધરી છે.