શોધખોળ કરો
અમદાવાદઃ બે પાકિસ્તાની યુવતી થઈ ફરાર, લગ્ન કરી અમદાવાદમાં થઈ હતી સ્થાયી
1/4

અમદાવાદઃ અમદાવાદમાંથી બે પાકિસ્તાની યુવતીઓ ફરાર થઈ ગઈ છે. કાયદેસર પ્રક્રિયા કરીને યુવતીઓ લગ્ન કરીને અમદાવાદ સ્થાયી થઈ હતી. બન્ને યુવતીઓ દેરાણી-જેઠાણી છે અને બાળકો લઈને ફરાર થઈ ગઈ છે. પાલડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બન્ને યુવતીઓને શોધવા માટે એફ.આર.હાઉસ અને પાસપોર્ટ વિભાગની પણ મદદ લીધી છે.
2/4

મળતી માહિતી મુજબ પાકિસ્તાનના કરાચીની રહેવાસી નવીરા અને આયશાબેનના લગ્ન અમદાવાદના આસિફ મહમ્મદ અબ્દુલ લતીફ અને મોહમદમ સોહેબ સાથે રીતિરીવાજ મુજબ થયા હતા. આલગ્નથી નવીરાને એક સંતાન મહમદ અયાન છે. જ્યારે આયશાને અઢી વર્ષની એક દિકારી ફાતીમાં છે.
Published at : 25 Oct 2016 02:23 PM (IST)
Tags :
AhmedabadView More























