બાકી રહેલા બે ધારાસભ્યોમાંથી જંયત બોસ્કી શંકાના દાયરામાં છે કેમ કે છોટુભાઈ વસાવા ભાજપના અત્યંત વિરોધી છે. ભાજપે તેમને ખેંચવા પ્રયત્ન કર્યા હતા પણ વસાવાએ એ પ્રયત્નોને સફળ થવા નહોતા દીધા. વસાવાએ પોતે અહમદ પટેલને જ મત આપ્યો હોવાનો દાવો કર્યો છે જ્યારે બોસ્કી આ મામલે ચૂપ છે.
2/5
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ જીતી ગયા છે. અહમદ પટેલને 44 મત મળ્યા છે અને આ પૈકી 43 મત કોંગ્રેસના ધારાસભ્યોના છે. અહમદ પટેલને 44મો મત કોનો મળ્યો તે મુદ્દે રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે તો અહમદ પટેલ સાથે કોણે ગદ્દારી કરી તે મુદ્દો પણ ચર્ચામાં છે.
3/5
નલિન કોટડિયાએ મંગળવારે સવારે ભાજપને મત આપ્યો હોવાની જાહેરાત કરી હતી. કોટડિયાએ મોડી સાંજે ગુલાંટ લગાવીને પોતે ભાજપને મત નહીં આપ્યો હોવાનું લખ્યું પણ કોટડિયાએ પાટીદારોનો આક્રોશ જોઈને આ ગુલાંટ લગાવી છે તે સ્પષ્ટ છે. આ સંજોગોમાં કોટડિયાનો વિશ્વાસ કરી શકાય તેમ નથી.
4/5
શકંરસિંહની જેમ ગુજરાત કોંગ્રેસના બીજા બે ધારાસભ્યોએ પણ અહમદ પટેલ સાથે ગદ્દારી કરી છે. એનસીપીના જ્યંત બોસ્કી, જેડીયુના છોટુભાઈ વસાવા અને ભાજપના બળવાખોર નેતા નલિન કોટડિયાએ પણ અહમદ પટેલને મત આપવાની જાહેરાત કરી હતી પણ આ પૈકી બે ધારાસભ્યોએ અહમદ પટેલને મત આપ્યો નથી.
5/5
અહમદ પટેલ સાથે શંકરસિંહ વાઘેલાએ ગદ્દારી કરી એ તો જગજાહેર છે. શંકરસિંહે અગાઉ જાહેરાત કરી હતી કે હું મારા પરમ મિત્ર અહેમદ પટેલને મત આપીશ. અહેમદ પટેલ પણ આશા રાખતા હતા કે શંકરસિંહ મિત્રતા નિભાવી તેમને મત આપશે પરંતુ મંગળવારે શંકરસિંહે મિત્રતા તોડી જાહેર કરેલું કે, મેં અહેમદ પટેલને મત નથી આપ્યો.