શોધખોળ કરો
આણંદઃ USમાં ફાર્માસિસ્ટ યુવકે આણંદમાં ટ્રેન નીચે પડતું મૂકી કેમ કર્યો આપઘાત? જાણો વિગત
1/6

આણંદ: રવિવારે મોડી સાંજે કરમસદના એનઆરઆઈ યુવકે આણંદથી વડતાલ તરફ જતી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઈ હતી. અમેરિકામાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતો કલ્પિત પટેલ ગયા અઠવાડિયે વતન આવ્યો હતો. કલ્પિત લગ્ન કર્યા બાદ છેલ્લાં બે વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયા હતા.
2/6

કલ્પિત એક અઠવાડિયાથી માનસિક અસ્વસ્થ હોઈ તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3ના છેડે રવિવારે મોડી સાંજે 30 વર્ષીય યુવકે આણંદથી વડતાલ તરફ જતી ભક્તાણી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
Published at : 07 Mar 2017 09:57 AM (IST)
View More























