શોધખોળ કરો

Tilak significance: હિન્દુ ધર્મમાં તિલક કરવાનું છે અનેરૂ મહત્વ, જાણો તેના પાછળના તર્ક અને કારણો

હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

Benefits Of Applying Tilak: હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

સનાતન ધર્મમાં કપાળ પર તિલક લગાવવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીમાં મોજૂદ ઉગ્ર ગ્રહો  શાંત થાય છે. સામાન્ય દિવસોમાં અથવા કોઈ ખાસ તહેવાર પર વિવિધ પ્રકારના તિલકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ચંદનનું તિલક સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ચંદનનું તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ શા માટે કપાળ પર તિલક લગાવવામાં આવે છે અને તેના ફાયદા શું છે.

કપાળ પર તિલક લગાવવાનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રોમાં કપાળ પર તિલક લગાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તિલક લગાવવાથી ગ્રહોની સ્થિતિ સુધરે છે અને તેના કારણે અટકેલા કામ પણ પૂર્ણ  થાય છે. દિવસ પ્રમાણે તિલક લગાવવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે સોમવારે સફેદ ચંદનનું તિલક લગાવવાથી મન શાંત રહે છે. મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને લગાવવું શુભ છે. બુધવારે સૂકું સિંદૂર લગાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુવારે પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

શુક્રવારે લાલ ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. શનિવારે ભસ્મનું તિલક લગાવવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. રવિવારે લાલ ચંદન લગાવવાથી વ્યક્તિને માન-સન્માન અને ધનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ચંદનનું તિલક લગાવનાર વ્યક્તિનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

તિલક લગાવવાનું વૈજ્ઞાનિક મહત્વ

વૈજ્ઞાનિક ધોરણે તિલક લગાવવાનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે. તેનાથી વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહે છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે છે અને તે પોતાના નિર્ણયો ખૂબ જ મક્કમતાથી લે છે. ચંદનનું તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે.

 Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાફિંગ બુદ્ધા અને ગૌતમ બુદ્ધ એક નથી, જાણો બંનેના સ્મિત પાછળનું રહસ્ય અને દિલચશ્પ કહાણી
લાફિંગ બુદ્ધા અને ગૌતમ બુદ્ધ એક નથી, જાણો બંનેના સ્મિત પાછળનું રહસ્ય અને દિલચશ્પ કહાણી
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કન્યા સહિત આ રાશિ માટે દિવસ રહેશે ભાગ્યશાળી, જાણો 12 રાશિનું રાશિફળ
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: વ્રજ યોગનો મહાસંયોગ, 3 રાશિ પર વરસશે કુબેરની કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
Embed widget