શોધખોળ કરો

Corona News: અમદાવાદમાં ફરી વકર્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં નવા 127 કેસ, એક સપ્તાહમાં બમણા કેસ

Corona News: કોરોનાએ ફરી દેશ દુનિયામાં રિએન્ટ્રી કરી છે. વઘતા જતાં કેસે ચિંતા જગાડી છે. ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં વધ્યું છે.

Corona News: અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે. જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. 

દેશમાં કોવિડ-19 કેસોની સંખ્યા ફરી એકવાર વધી રહી છે. શનિવાર સવાર સુધીના આંકડા મુજબ, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 5755 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે - જેમાંથી  મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુના છે.

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, જ્યાં એક જ દિવસમાં 127નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતમાં 102, પશ્ચિમ બંગાળમાં 26 અને દિલ્હીમાં 73 નવા કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં મળીને દેશભરમાં કુલ 391 નવા કેસ નોંધાયા છે. કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે હોસ્પિટલોની તૈયારી તપાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી.

બૂસ્ટર ડોઝ કોણે લેવો જોઈએ ?

ભારતમાં લગભગ 73% લોકોએ ઓછામાં ઓછું એક વાર બૂસ્ટર શોટ લીધો છે. પરંતુ ફક્ત 18% લોકોએ નવું અપડેટેડ બૂસ્ટર લીધું છે, જે ખાસ કરીને ઓમિક્રોન વેરિઅન્ટ માટે બનાવવામાં આવ્યું છે. નિષ્ણાતો સલાહ આપે છે કે વૃદ્ધો અને કોઈપણ રોગથી પીડિત લોકોએ વાયરસથી વધુ સારી સુરક્ષા માટે ચોક્કસપણે આ અપડેટેડ બૂસ્ટર લેવું જોઈએ.

AIIMS ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે હાલમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જેમણે હજુ સુધી પ્રથમ કે બીજી રસી લીધી નથી તેઓએ શક્ય તેટલી વહેલી તકે રસી લેવી જોઈએ. તેમનું કહેવું છે કે હાલમાં સામાન્ય લોકોને બૂસ્ટર (ત્રીજો) ડોઝ આપવા માટે જરૂરી માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ જેઓ વધુ જોખમમાં છે, જેમ કે વૃદ્ધો અને જેમને પહેલાથી જ કોઈ રોગ છે તેમના માટે બૂસ્ટર ડોઝ ફાયદાકારક હોઈ શકે છે. સરકારને રસીકરણ અંગે સલાહ આપતા જૂથના વડા ડૉ. એન.કે. અરોરા કહે છે કે 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર રોગોથી પીડાતા લોકોએ જો હજુ સુધી બૂસ્ટર ડોઝ ન લીધો હોય, તો તેમણે ચોક્કસપણે બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: સૂર્ય-શનિ-શુક્રની યુતિથી બન્યો ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આ 2 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા! જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ
30 વર્ષ પછી સર્જાઈ સૂર્ય-શનિની મહાયુતિ: મીન રાશિમાં 30 દિવસ ભેગા રહેશે પિતા-પુત્ર, જાણો તમારી રાશિ પર શું થશે અસર?
30 વર્ષ પછી સર્જાઈ સૂર્ય-શનિની મહાયુતિ: મીન રાશિમાં 30 દિવસ ભેગા રહેશે પિતા-પુત્ર, જાણો તમારી રાશિ પર શું થશે અસર?
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા ક્યારે? જાણો તારીખ સહિત સોનું ખરીદવાનું અને પૂજાના શુભ મુહૂર્ત સાથે ઉપાય
Akshaya Tritiya 2026: અક્ષય તૃતિયા ક્યારે? જાણો તારીખ સહિત સોનું ખરીદવાનું અને પૂજાના શુભ મુહૂર્ત સાથે ઉપાય

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Embed widget