શોધખોળ કરો

Vasant Pnachami 2023: ગુરુવારે છે વસંત પંચમી, જાણો આ દિવસે કેમ છે પીળા રંગનું ખાસ મહત્વ

Saraswati Puja 2023: વસંત પંચમીમાં માતા સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે. જો તમે આ દિવસે પીળા રંગના કપડા પહેરો છો તો તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Importance of yelllow color: વર્ષ 2023માં વસંત પંચમી 26 જાન્યુઆરી ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. વસંત પંચમી એ હિન્દુ ધર્મમાં એક એવો તહેવાર છે જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે સરસવનો પાક લણણી માટે તૈયાર થઈ જાય છે. આ સાથે આખી પૃથ્વી પીળા રંગથી તરબોળ થઈ જાય છે.

પીળા રંગનું મહત્વ

વસંત પંચમીના દિવસે પીળા રંગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા અનુસાર આ દિવસે સ્નાન વગેરે કરીને પીળા રંગના વસ્ત્રો પહેરી માતા સરસ્વતીને પીળા રંગના ફૂલ ચઢાવો અને તેમની પૂજા કરો. આ દિવસે પીળા રંગનું ભોજન પણ ખાઓ. આ સાથે જ વસંત પંચમીથી ઠંડી થોડી ઓછી થવા લાગે છે અને વાતાવરણ ખુશનુમા બનવા લાગે છે. ઠંડી પછી વૃક્ષો અને છોડ અને નવી કળીઓ ખીલવાનું શરૂ કરે છે. નવી ઋતુની શરૂઆત સાથે, સૂર્ય ઉત્તરાયણમાં છે અને પૃથ્વીને તેના પીળા કિરણોથી પ્રકાશિત કરે છે. પીળો રંગ સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે અને તે ઉર્જા અને પ્રકાશનું પ્રતીક છે. આ સાથે પીળો રંગ તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે.

ગુરુવારે કરો આ ઉપાય

- જો તમને ભણવામાં મન ન લાગતું હોય તો મા સરસ્વતીની પૂજા કરો, સાથે જ તેમને પીળા ફૂલ અને તમારી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરો, આનાથી તમને અભ્યાસ કરવાનું મન થશે.

- ગુરુવારે જરૂરતમંદોને દાન અવશ્ય કરો.

- માંસ-દારૂનું સેવન ન કરો, પીળો ખોરાક ખાઓ.

વસંત પંચમીનું મહત્વ

પૌરાણિક કથાઓ અનુસાર વસંતપંચમીના અવસરે માતા સરસ્વતી પ્રગટ થયા હતાં, ત્યારે સમગ્ર વિશ્વને વાણી અને જ્ઞાન મળ્યું હતું. વસંત પંચમીના રોજ માતા સરસ્વતીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. તેમના જ્ઞાન અને કલાના આશીર્વાદ લેવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget