શોધખોળ કરો

Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનાનના હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી છે

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનાનના હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઈનો અંત લાવે તેવી અપેક્ષા છે. આ નિર્ણય પહેલા ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી.

ઇઝરાયલની સેનાએ છેલ્લા 24 કલાકમાં લેબનીઝ રાજધાની પર અનેક હવાઈ હુમલા કર્યા જેમાં ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ છોડ્યા હતા. વડાપ્રધાન નેતન્યાહુએ યુદ્ધવિરામ પાછળ ત્રણ મુખ્ય કારણો આપ્યા. આમાં ઈરાન તરફથી વધી રહેલા ખતરા પર ધ્યાન કેન્દ્રિત કરવું, ઈઝરાયલી સૈન્યને ફરીથી સશક્ય બનાવવી અને હમાસને વિવિધ મોરચાઓથી અલગ પાડવાનું સામેલ થાય છે.

કરારની શરતો શું હશે?

યુદ્ધવિરામ પછી પ્રદેશમાં અસ્થાયી શાંતિની સંભાવના છે, જો કે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા તણાવથી પ્રાદેશિક સ્થિરતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. લેબનીઝ મીડિયા અનુસાર, લેબનોનમાં યુદ્ધવિરામ કરાર બુધવારે સવારે 10 વાગ્યે શરૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઈમેન્યુઅલ મેક્રોન આ કરારની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ કરાર અમેરિકા અને ફ્રાન્સ દ્વારા મધ્યસ્થી દ્ધારા કરવામાં આવ્યો હતો. કરારની શરતો શું હશે, તેની સંપૂર્ણ માહિતી હજુ સામે આવી નથી. જોકે, ઈઝરાયલના એક અધિકારીએ કહ્યું કે યુદ્ધવિરામનો અર્થ એ નથી કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ઈઝરાયલ હજુ પણ કોઈપણ ધમકીનો જવાબ આપવા સક્ષમ હશે.

લેબનીઝ વિદેશ મંત્રીએ શું કહ્યું?

યુદ્ધવિરામના સંદર્ભમાં અધિકારીઓએ માહિતી આપી હતી કે ઇઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબનોનમાંથી પીછેહઠ કરવી પડશે. લેબનીઝના વિદેશ મંત્રી અબ્દુલ્લા બૌ હબીબે જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈનિકો હટાવ્યા બાદ લેબનીઝ આર્મી દક્ષિણ લેબનાનમાં ઓછામાં ઓછા 5,000 સૈનિકો તૈનાત કરવા માટે તૈયાર હશે. તેમણે એમ પણ કહ્યું કે ઈઝરાયલના હુમલાથી નાશ પામેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ફરીથી નિર્માણ માટે અમેરિકા ભૂમિકા ભજવી શકે છે.

યુએનએ ચિંતા વ્યક્ત કરી હતી

યુદ્ધવિરામની જાહેરાત બાદ ઇઝરાયલે લેબનોન પર હવાઈ હુમલો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા. યુએનએ પણ મૃત્યુઆંક વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુએનએ કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં મહિલાઓ, બાળકો અને ડૉક્ટરો સહિત લગભગ 100 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા

હિઝબુલ્લાહે સપ્ટેમ્બરમાં ઈઝરાયલ પર હુમલો કર્યો હતો જેના જવાબમાં ઈઝરાયલે હિઝબુલ્લાહ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલના આ હુમલામાં હિઝબુલ્લાના વડા સૈયદ હસન નસરુલ્લાહ માર્યા ગયા હતા. આ સાથે મુખ્ય કમાન્ડરો પણ મૃત્યુ પામ્યા હતા. લેબનાને કહ્યું કે ઑક્ટોબર 2023માં શરૂ થયેલા ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધમાં ઓછામાં ઓછા 3,768 લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના છેલ્લા બે મહિનામાં છે. બીજી તરફ ઈઝરાયેલનું કહેવું છે કે હિઝબુલ્લાહના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 82 સૈનિકો અને 47 નાગરિકો માર્યા ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર
US Green Card Rules: ગ્રીન કાર્ડની પ્રતિક્ષા કરતા ભારતીયોને મોટો ઝટકો, ટ્રમ્પ સરકારે નિયમમાં કર્યાં મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget