શોધખોળ કરો

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે સુપ્રીમ કોર્ટમાં વકીલો અને કર્મચારીઓને સંબોધિત કર્યા હતા.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે સુપ્રીમ કોર્ટના કાર્યકર્માં વકીલો અને કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે બંધારણ સભામાં ચર્ચા દરમિયાન બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું - બંધારણ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી. તેની ભાવના હંમેશા યુગની ભાવના છે.

સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં સંવિધાન દિવસની ઉજવણી પર બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "આ ભારતીય બંધારણનું 75મું વર્ષ છે. આ દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. હું બંધારણ અને બંધારણસભાના તમામ  સદસ્યોને નમન કરું છું. આપણે એ નહીં ભૂલી શકીએ કે  આજે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની વરસી છે. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. હું દેશના સંકલ્પને ફરી પુનરાવર્તિત કરવા માંગુ છું કે, દેશની સુરક્ષાને પડકારનારા તમામ આતંકવાદી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે." 

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે કહ્યું કે આપણા બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે ભારતની આકાંક્ષાઓ, ભારતના સપના સમયની સાથે નવી ઊંચાઈએ પહોંચશે, તેઓ જાણતા હતા કે સ્વતંત્ર ભારત અને ભારતના નાગરિકોની જરૂરિયાતો બદલાશે, પડકારો બદલાશે... તેથી જ તેઓ આપણા બંધારણને માત્ર કાયદાના પુસ્તક તરીકે ન રાખ્યું, પરંતુ તેને જીવંત, નિરંતર વહેતો પ્રવાહ બનાવ્યો. 

બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક

પીએમ મોદીએ કહ્યું, “આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક છે. આજે દરેક દેશવાસીને એક જ ધ્યેય છે - વિકસિત ભારતનું નિર્માણ કરવું. ભારતીયોને ઝડપી ન્યાય મળે તે માટે એક નવો ન્યાયિક સંહિતા લાગુ કરવામાં આવી છે. સજા આધારિત વ્યવસ્થા હવે ન્યાય આધારિત વ્યવસ્થામાં બદલાઈ ગઈ છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમામ દેશવાસીઓને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના બંધારણનું આ 75મું વર્ષ સમગ્ર દેશ માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget