શોધખોળ કરો

શરદપૂર્ણિમાં ચંદ્રની ચાંદનીમાં ગ્રહણ દોષ હોઈ  દૂધ પૌવા નહીં લઈ શકાય 

સમગ્ર ભારતમાં નવરાત્રી બાદ શરદપૂર્ણિમાએ ચંદ્રની ચાંદનીમાં દૂધ પૌવા મૂકી અને પ્રસાદ તરીકે આરોગવામાં આવે છે.

સમગ્ર ભારતમાં નવરાત્રી બાદ શરદપૂર્ણિમાએ ચંદ્રની ચાંદનીમાં દૂધ પૌવા મૂકી અને પ્રસાદ તરીકે આરોગવામાં આવે છે.   આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ વર્ષે શરદપૂર્ણિમાએ દૂધ પૌવા ચંદ્રની ચાંદનીમાં નહીં ખાઈ શકાય અને નહીં મૂકી શકાય કેમ કે શરદપૂર્ણિમાની દિવસે જ આ વર્ષનો છેલ્લો ચંદ્રગ્રહણ થનાર છે. જે ભારતમાં દેખાવાનું છે જેથી તેને પાળવાનું કે માનવાનું મનાય છે.  જેથી સોમનાથ, અંબાજી જેવા અનેક પ્રસિદ્ધ મંદિરોમાં પણ આ સમય દરમિયાન મંદિરના કબાટ બંધ રહેશે જેની જાહેરાતો થઈ ચૂકી છે.  એટલે આ દિવસે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન આપણે તેની ચાંદનીમાં દૂધ પૌવા  મુકવા ન જોઈએ અને તે સમયે દૂધમાં આરોગવા પણ ન જોઈએ 

ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાએ ચંદ્રદેવની રોશનીથી અમૃત વર્ષા થાય છે.   માટે જ આ રોશનીમાં દૂધ પૌવા તપાવી તેને ખાવાથી  મન શાંત થાય છે મનુષ્યના મનમાં નવી ચેતના ભરાય છે તેથી મૂંઝવણ અને મુશ્કેલીઓમાંથી માર્ગ મળે છે અને જીવનમાં શાંતિનો અહેસાસ થાય છે એટલે જ નવરાત્રી બાદ પણ શરદપૂર્ણિમાએ ચંદ્રની આ રોશનીમાં રહેવા  માટે પણ રાત્રિ પર્યંત ગરબાનું આયોજન પણ થાય છે અને દૂધ પૌવાની ઉજાણી પણ થાય છે. 

ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધર્મ અનુસાર જ્યારે રાહુ ચંદ્રને પીડિત કરે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ વર્ષનું ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ છે કારણ કે શરદ પૂર્ણિમાની રાત્રે અમૃત વર્ષા થાય છે, પરંતુ લોકોમાં એવી વાત ફેલાઈ રહી છે કે આ વખતે  ચંદ્ર ગ્રહણને કારણે લોકોને અમૃત નહીં મળે. 

આમતો ત્યારે જ ચંદ્રગ્રહણ થાયકે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય  છે. વિજ્ઞાનમાં તેને ખગોળીય ઘટના ગણવામાં આવે છે પરંતુ ધર્મ અને જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે કારણ કે જ્યોતિષમાં માનવામાં આવે છે કે ચંદ્ર મનનું કારક છે ચંદ્ર પર કંઈ પણ ઘટે  થાય તેની માનવીના માન ઉપર સીધી અસર થાય છે.  ચંદ્રગ્રહણ એક મોટી ઘટના છે જેથી તેની સીધી અસર માનવ મન ઉપર થઈ શકે છે. 

આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ શરદ પૂર્ણિમાની રાત્રે થશે. આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ હશે, જે ભારતમા દેખાવાનું છે  આ ચંદ્રગ્રહણ ભારતમાં ખંડગ્રાસના રૂપમાં જોવા મળશે. 28 ઓક્ટોબરે મોડી રાત્રે થનારું ચંદ્રગ્રહણ મોડી રાત્રે 01:06 મિનિટે શરૂ થશે અને 02:22 મિનિટે સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે.   તેથી  ઘર્ ની માન્યતાને  આદર કરનારા  આ સમયગાળા દરમિયાન ચંદ્રની ચાંદનીમાં દૂધ પૌવા મુકશે નહિ અને ખાશે પણ નહિ. 
 
ધાર્મિક માન્યતા અનુસાર  ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. શરદ પૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 28 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 04-05  વાગ્યાથી ગ્રહણના અંત સુધી એટલે કે મોડી  રાત્રે 02.22 વાગ્યા સુધી સમાપ્ત થશે 

ગ્રહણ સમયમાં શું કરવું શું ના કરવું તેની પણ અનેક ધાર્મિક માન્યતા છે પરંતુ ખાસ નીચેની બાબતોનું અવશ્ય ધ્યાન રાખવાનું કહેવાય છે

૧  ચંદ્રગ્રહણ સમયમાં ચંદ્રની ચાંદનીમાં ભોજન કર બનાવવાતું નથી અને કરાતું નથી
૨ ગર્ભિણી સ્ત્રીઓએ આ ગ્રહણના સીધા સંપર્કથી બચવું જોઈએ 
૩ નાના કુમળા બાળકોને સીધા ગ્રહણના સંપર્કથી દૂર રાખવા જોઈએ
૪  ગ્રહણ સમયે સંગ્રહ કરેલા અન્નજળમાં દર્ભ અને પોતાની પાસે દર્ભ રાખવાનું કહેવામાં આવે છે 
૫ રોગીષ્ટ અને બીમાર લોકોએ ચંદ્રગ્રહણના સીધા સંપર્ક થી બચવું જોઈએ  

ધાર્મિક માન્યતા અનુસાર કહેવાય છે કે ચંદ્રગ્રહણના સીધા સંપર્ક થી બચીને પોતાના ઈષ્ટદેવ દેવી-દેવતા ભગવાન શિવ ભગવાન અથવા ભગવાન વિષ્ણુ ની આરાધના કરવાનું સૂચન છે જેનાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.


ભારત ઉપરાંત વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, હિંદ મહાસાગર, દક્ષિણ-પૂર્વ અમેરિકા, સમગ્ર એશિયા, ઉત્તર અમેરિકાના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં જોવા મળશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
Embed widget