શોધખોળ કરો

Kedarnath Yatra: કેદારનાથ યાત્રાએ આવેલા વધુ ચાર શ્રદ્ધાળુના મોત, અત્યાર સુધીમાં 82નાં મોત

Kedarnath Yatra Update: કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

(રોહિત ડિમરી)

Chardham Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ ચાર મુસાફરોના મોત થયા છે. કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મંગળવારના રોજ કેદારનાથ યાત્રા પર આવેલા ઉત્તરપ્રદેશના  ચિત્રકૂટના રહેવાસી 62 વર્ષીય લાલ માન યાદવ સોનપ્રયાગમાં અચાનક બીમાર પડ્યા હતા. તેમને સીતાપુર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા. મહારાષ્ટ્રના મુસાફર પ્રશાંત બંસી જાલુક્કર (ઉંમર 63 વર્ષ) પગપાળા યાત્રા દરમિયાન તબિયત બગડી હતી, જેમને મૃત અવસ્થામાં આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.

પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા

આ સિવાય સવાઈ માધોપુર રાજસ્થાનના રહેવાસી સત્યનારાયણ શર્મા (ઉંમર 70 વર્ષ)ની તબિયત બગડતાં તેમને રામપુરમાં આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં મૃત જાહેર કરાયા. જ્યારે રાજસ્થાનના ચુરુના 67 વર્ષીય તુલાચી દેવી કેદારનાથ મંદિરેથી દર્શન કરીને આવી રહ્યા હતા. આ દરમિયાન તે ઘોડાની નજીક પહોંચતા બેહોશ થઈ ગયા. તેને મૃત અવસ્થામાં બેઝ કેમ્પ કેદારનાથ લઈ જવામાં આવ્યા. પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. દરવાજા ખુલ્યા બાદથી અત્યાર સુધીમાં પ્રવાસમાં આવેલા 82 મુસાફરોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત

મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ.બી.કે. શુક્લાએ કહ્યું કે કેદારનાથ યાત્રા દરમિયાન વધુ ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ તમામ યાત્રાળુઓ આરોગ્ય કેન્દ્ર પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે મંગળવારે 2,131 યાત્રાળુઓને સ્વાસ્થ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી, જ્યારે 240 મુસાફરોને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. હવે 78 હજાર 740 યાત્રાળુઓની ઓપીડી દ્વારા આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવી છે, જ્યારે 4089 મુસાફરોને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
Embed widget