શોધખોળ કરો

Kedarnath Yatra: કેદારનાથ યાત્રાએ આવેલા વધુ ચાર શ્રદ્ધાળુના મોત, અત્યાર સુધીમાં 82નાં મોત

Kedarnath Yatra Update: કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

(રોહિત ડિમરી)

Chardham Yatra 2022: કેદારનાથ યાત્રામાં વધુ ચાર મુસાફરોના મોત થયા છે. કેદારનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓના મોતનો સિલસિલો સતત ચાલુ છે. યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મંગળવારના રોજ કેદારનાથ યાત્રા પર આવેલા ઉત્તરપ્રદેશના  ચિત્રકૂટના રહેવાસી 62 વર્ષીય લાલ માન યાદવ સોનપ્રયાગમાં અચાનક બીમાર પડ્યા હતા. તેમને સીતાપુર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા. મહારાષ્ટ્રના મુસાફર પ્રશાંત બંસી જાલુક્કર (ઉંમર 63 વર્ષ) પગપાળા યાત્રા દરમિયાન તબિયત બગડી હતી, જેમને મૃત અવસ્થામાં આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.

પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા

આ સિવાય સવાઈ માધોપુર રાજસ્થાનના રહેવાસી સત્યનારાયણ શર્મા (ઉંમર 70 વર્ષ)ની તબિયત બગડતાં તેમને રામપુરમાં આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં મૃત જાહેર કરાયા. જ્યારે રાજસ્થાનના ચુરુના 67 વર્ષીય તુલાચી દેવી કેદારનાથ મંદિરેથી દર્શન કરીને આવી રહ્યા હતા. આ દરમિયાન તે ઘોડાની નજીક પહોંચતા બેહોશ થઈ ગયા. તેને મૃત અવસ્થામાં બેઝ કેમ્પ કેદારનાથ લઈ જવામાં આવ્યા. પોલીસે ચારેય મૃતદેહોના પંચનામા કરી પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. દરવાજા ખુલ્યા બાદથી અત્યાર સુધીમાં પ્રવાસમાં આવેલા 82 મુસાફરોના મોત થયા છે.

અત્યાર સુધીમાં 82 શ્રદ્ધાળુઓના મોત

મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ.બી.કે. શુક્લાએ કહ્યું કે કેદારનાથ યાત્રા દરમિયાન વધુ ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ તમામ યાત્રાળુઓ આરોગ્ય કેન્દ્ર પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે મંગળવારે 2,131 યાત્રાળુઓને સ્વાસ્થ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી, જ્યારે 240 મુસાફરોને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. હવે 78 હજાર 740 યાત્રાળુઓની ઓપીડી દ્વારા આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવી છે, જ્યારે 4089 મુસાફરોને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Embed widget