શોધખોળ કરો

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

MahaKumbh 2025: વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે આસ્થાના મહાન પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવશે

MahaKumbh 2025: વર્ષ 2025 ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે આ વર્ષે આસ્થાના મહાન પર્વ મહાકુંભનું આયોજન કરવામાં આવશે. મહા કુંભ દર 12 વર્ષે આવે છે, તેથી તેનું મહત્વ અનેકગણું છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન લોકો કલ્પવાસ, ગંગામાં સ્નાન અને જપ- તપ કરે છે, એવી માન્યતા છે કે તેનાથી વ્યક્તિના પાછલા જન્મના પાપ ધોવાઇ જાય છે અને આગળનું જીવન સુખી રહે છે. આવો જાણીએ શું છે મહાકુંભનો ઈતિહાસ અને નવા વર્ષમાં ક્યારથી શરૂ થઇ રહ્યો છે.

મહા કુંભ મેળો 2025

મહા કુંભ મેળો 13 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે.

મહાકુંભ મેળાનો ઇતિહાસ

મહાકુંભનું આયોજન એ એક પ્રાચીન પરંપરા છે, જે વૈદિક કાળથી ચાલી આવે છે. તેની પાછળનો મુખ્ય અર્થ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો છે, જે માન્યતા અનુસાર મનુષ્યના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપથી દેવતાઓ શક્તિહીન થઈ ગયા અને રાક્ષસ રાજા બલિનું ત્રણેય લોક પર આધિપત્ય હતું. ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી અને તેમને તેમની આપત્તિ વિશે જણાવ્યું.

કુંભ મેળાની શરૂઆતની વાર્તા પૌરાણિક કથાઓમાં સમુદ્ર મંથનની વાર્તા સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુએ દેવોને સમુદ્ર મંથન કરવાનું કહ્યું. કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે તે મંથનમાંથી અમૃતનો એક કળશ નીકળ્યો. કુંભનો અર્થ કળશ પણ થાય છે. અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, જેના કારણે ભગવાન વિષ્ણુએ અમૃતના કળશની રક્ષા કરવાનું કામ પોતાના વાહન ગરુડને સોંપ્યું હતું.

જ્યારે ગરુડ અમૃત સાથે ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે અમૃતના કેટલાક ટીપાં ચાર સ્થળોએ પડ્યા હતા - પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક. ત્યારથી દર 12 વર્ષે આ સ્થળોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ગંગામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવીને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસનું યુદ્ધ થયું હતું, જે માનવ વર્ષોમાં 12 વર્ષ જેટલું માનવામાં આવે છે. તેથી દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Mahalaxmi Rajyog 2026: 16 માર્ચે બની રહ્યો  છે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય
ગુપ્ત સાધના શું હોય છે? બાબા બાગેશ્વરના નિવેદન બાદ વધુ વખત ગૂગલ પર થઇ સર્ચ, જાણો ગુપ્ત સાધનાના રહસ્ય

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
મસૂરીમાં લગ્ન કરશે કુલદીપ યાદવ, આ લક્ઝરી હોટેલ કરવામાં આવી બુક, 6 હજારની ડીસ આરોગશે મહેમાનો
મસૂરીમાં લગ્ન કરશે કુલદીપ યાદવ, આ લક્ઝરી હોટેલ કરવામાં આવી બુક, 6 હજારની ડીસ આરોગશે મહેમાનો
Embed widget