શોધખોળ કરો

Mahashivratri 2024 : મહાશિવરાત્રિ પર આ વસ્તુઓનું કરો દાન, તમામ કાર્યોમાં મળશે સફળતા

મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. શિવભક્તો આ ઉત્સવના આગમનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.

Mahashivratri 2024: મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. શિવભક્તો આ ઉત્સવના આગમનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે મહાશિવરાત્રી 08 માર્ચ 2024ના રોજ છે. આ ખાસ અવસર પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ઉપવાસ પણ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિનું વ્રત અને પૂજા કરવાથી સાધકને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવા સિવાય વિશેષ વસ્તુઓનું દાન કરવાનું પણ વધુ મહત્વ છે. જીવનમાં હંમેશા નિઃસ્વાર્થ ભાવે દાન કરવું જોઈએ. આવો જાણીએ મહાશિવરાત્રિ પર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

-મહાશિવરાત્રીના દિવસે તલનું દાન કરો. એવી માન્યતા છે કે તલનું દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃદોષ શાંત થાય છે. તેમજ બાકી રહેલા કામ પણ પૂર્ણ થાય.

-આ સિવાય દૂધ અને દૂધની બનાવટોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

- મહાશિવરાત્રીના અવસરે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્ર અને દક્ષિણા દાન કરો. એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને આર્થિક લાભ થાય છે.

-જો તમે કામમાં સફળતા મેળવવા માંગતા હોવ તો મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં ચાંદીના શિવલિંગનું દાન કરો. ચાંદીના શિવલિંગનું દાન કરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે.

- કાચા દૂધ, ચોખા અને ખાંડની સાથે ચણાની દાળનું દાન મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઈએ. તેનાથી રોગો, દોષ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. સનાતન ધર્મમાં અનાજ દાનનું ઘણું મહત્વ છે.

પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 08 માર્ચે રાત્રે 09:57 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 9 માર્ચે તિથિ સાંજે 06:17 વાગ્યે સમાપ્ત થશે. તેથી મહાશિવરાત્રી 8મી માર્ચે ઉજવવામાં આવશે. 

મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર શિવભક્તો દ્વારા ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાની ભક્તિ સાથે ઉપવાસ પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના અવસરે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર સ્થિત તમામ શિવલિંગોમાં ભૌતિક સ્વરૂપમાં વિરાજમાન હોય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે અને વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget