શોધખોળ કરો

Ram Navami 2022 Upay: રામ નવમીના દિવસે ભગવાન શ્રીરામની કૃપા પ્રાપ્ત કરવા માટે કરો આ બે કામ, પૂરી થશે હર મનોકામના

Ram Navami 2022 Upay:રામ નવમીનો તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનું વિધિવત પૂજન અર્ચન કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

Ram Navami 2022 Upay:રામ નવમીનો તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનું વિધિવત પૂજન અર્ચન કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

રામ નવમીનો તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ વખતે રામનવમી 10 એપ્રિલે એટલે કે આજે  છે. આ દિવસે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા અને સ્તુતિ કરવાથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. રામનવમીના દિવસે આ બે કામ કરવાથી ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. ચાલો જાણીએ..

શાસ્ત્રો અનુસાર રામ નવમીના દિવસે ભક્તો વ્રત રાખે છે અને વિધિ-વિધાન સાથે પૂજા કરે છે. આ દિવસે ઘરમાં મંદિરમાં ભગવાન શ્રી રામની તસવીર લગાવો અને તેમની સામે દીવો પ્રગટાવો. અને ભગવાનની પૂજા કરો. આ દિવસે રામાયણ, રામ સ્તોત્ર, રામાવતાર સ્તોત્રનો પાઠ કરો અને રામચંદ્રની સ્તુતિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે.. આ દિવસે લોકો ઉપવાસ અને પૂજા કરે છે. નવરાત્રિ પણ આ દિવસે સમાપ્ત થાય છે. નવ દિવસ સુધી વિધિપૂર્વક માતા દુર્ગાની પૂજા કર્યા પછી, રામ નવમીના દિવસે કન્યા પૂજન સાથે તેનું સમાપન થાય છે.

10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ

રામનવમી પર આ વર્ષે રવિ પુષ્ય યોગ બની રહ્યો છે જે પૂરા 24 કલાક સુધી રહેવાનો છે. પુષ્ય નક્ષત્ર રવિવાર, 10 એપ્રિલે સૂર્યોદય સાથે શરૂ થશે જે આગલા દિવસે સૂર્યોદય સુધી રહશે. આ વર્ષે કુલ ચાર રવિ પુષ્ય હશે. પરંતુ 24 કલાકનો ગાળો માત્ર રામનવમીવાળા રનિ પુષ્ય યોગનો હશે. ખરીદી કરવા માટે તેને અબુઝ મૂહુર્ત પણ માનવામાં આવે છે. નોમની તિથિ  કોઈ નવા કામની શરુઆત કે ખરીદી-વેચાણ માટે બહુ શુભ માનવામાં આવે છે. આ તિથિઓ પર કરવામાં આવેલા શુભ કાર્યનો લાભ લોકોને લાંબા સમય સુધી પ્રાપ્ત થાય છે.

છેલ્લા બે દિવસ શુભ સંયોગ
રામનવમી ઉપરાંત શનિવાર 9 એપ્રિલ આઠમના દિવસે પુનર્વસુ નક્ષત્રથી છત્ર યોગ બની રહ્યો છે. પ્રોપર્ટીમાં રોકાણ હોય કે મકાન-દુકાન બનાવવાની વાત હોય, દરેક મામલે આ યોગને શુભ માનવામાં આવે છે. રામનવમી પર 10 એપ્રિલના રોજ સર્વાર્થસિદ્ધિ,રવિ પુષ્ય અને રવિયોગ હોવાથી દરેક પ્રકારના શુભ કાર્યા માટે આ દિવસે શુભ મૂહુર્ત રહેશે. નોંધનિય છે કે સમગ્ર દેશમાં રામનવમીની ધામધૂમ સાથે ઉજવણી થાય છે. આ અવસરે ઘણી જગ્યાએ ભગવાન રામની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Embed widget