શોધખોળ કરો

Navratri Celebration: ગુજરાતના નવ શક્તિપીઠોમાં થશે ગરબાનું આયોજન, દેશી અંદાજમાં ખેલૈયાઓ કરશે જમાવટ

Navratri Celebration: સમગ્ર ભારતમાં નવરાત્રીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીને લઈને આબાલવૃદ્ધોમાં ઉત્સાહ જોવા મળે છે.

Navratri Celebration: સમગ્ર ભારતમાં નવરાત્રીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીને લઈને આબાલવૃદ્ધોમાં ઉત્સાહ જોવા મળે છે. સમયની સાછે નવરાત્રીની ઉજવણી કરવાની રીતો પણ બદલાઈ છે. શહેરમાં મોટા મોટા પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવામાં આવે છે પરંતુ ગામડામાં હજુ પણ જુની પદ્ધતિ પ્રમાણે ગરબામાં લેવામાં આવે છે. ડીજેના આ જમાનામાં હજુ પણ ગામડામાં કલાકારો જાતે ગાય અને સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે રમે છે.  નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિને યોજવા અંગે સરકારે જાહેરાત પણ કરી દીધી છે અને આ વર્ષે જીએમડીસીમાં વાઈબ્રેન્ટ ગરબા પણ યોજાશે. આ વર્ષે ગરબા થવાના હોવાથી ખેલૈયાઓમાં ઉત્સાહ અનેરો છે.  આ ઉપરાંત  અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરવામાં આવશે.

કચ્છમાં પણ અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે ચે. છેલ્લા અનેક વર્ષોથી મોટા પાયે આયોજિત કરવામાં આવતી કોમર્શિયલ નવરાત્રી મહોત્સવ ધૂમ મચાવી રહી હતી. જેમા નામી ગાયકો હાજરી આપતા હોય છે. બે વર્ષ પહેલા કોરોના કાબૂ બહાર હોતાં મોટા સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું હતું જ્યારે કે ગત વર્ષે કોમર્શિયલ નવરાત્રી પર પ્રતિબંધ લગાવી શેરીઓમાં યોજાતા ગરબા માટે અનુમતિ આપી હતી. ત્યારે આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવા છતાંય મોટા ભાગના આયોજકોએ આ નવરાત્રિમાં આયોજન રદ્દ રાખ્યા છે. ભુજમાં યોજાતી રોટરી નવરાત્રી મહોત્સવ અને ડ્રીમ્સ નવરાત્રી આ વર્ષે રદ્દ રાખવામાં આવી છે. જો કે, ટાઇમસ્ક્વેર ગ્રુપ દ્વારા ધ વિલા ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ આ વર્ષે પણ યોજવામાં આવશે.

જો કે વચ્ચે કોરોનાને કારણે બે વર્ષ નવરાત્રી બંધ રહ્યા બાદ આ વર્ષે ફરી શરૂ કરવામાં આવશે. ભુજની વિવિધ શેરીઓમાં વર્ષોથી ગરબાનું આયોજન અવિરત ચાલુ રહેશે. વોકળા ફળિયા અને ગેરવાળી વંડી જેવી શેરીઓમાં વર્ષો જૂની ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે. તો શહેરના નાગર ચકલામાં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને કુમારિકાઓ માટે યોજાતો નવરાત્રી મહોત્સવ પણ આ વર્ષે યોજવામાં આવશે. નોંધનિય છે કે,  છેલ્લા થોડા વર્ષોથી ભુજના વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શરૂ કરાયેલ ગરબા મહોત્સવ પ્રાચીન સંસ્કૃતિ સાથે આ વર્ષે પણ ઉજવાશે. આ ઉપરાંજ બુજના પબુરાઈ ફળિયા મિત્રમંડળ દ્વારા યોજાતી નવરાત્રી પણ પારંપરિક ઢબે આ વર્ષે પણ ઉજવવામાં આવશે, જેમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર બાળકીઓને જ રમવાની મંજૂરી આપવામાં આવી છે.

તો બીજી તરફ ભુજમાં યોજાતી રોટરી નવરાત્રી મહોત્સવ અને ડ્રીમ્સ નવરાત્રી આ વર્ષે રદ્દ રાખવામાં આવી છે. જો કે, ટાઇમસ્ક્વેર ગ્રુપ દ્વારા ધ વિલા ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ આ વર્ષે પણ યોજવામાં આવશે.  આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે. નવરાત્રી અંગે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરવામાં આવશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ, કામનાની પૂર્તિ માટે કરો આ વિધાનથી સાધના
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો
Shravan Maas: પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમનાથ સહિતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર, ‘બમ બમ ભોલે’નો નાદ ગૂંજ્યો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget