શોધખોળ કરો

Guruwar Puja: પૈસાની તંગી દૂર કરવી હોય તો ગુરુવારે કરો આ મંત્રનો જાપ, થશે વિશેષ લાભ

Thursday Upay: જે વ્યક્તિની કુંડળીમાં કોઈ ખામી હોય, પૈસાની તંગી હોય, પ્રગતિના તમામ માર્ગો બંધ હોય, લગ્નમાં વિઘ્ન આવે, ધંધામાં નુકસાન થાય. આવા લોકોએ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

Guruwar Puja Mantra: ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં કોઈ ખામી હોય, પૈસાની તંગી હોય, પ્રગતિના તમામ માર્ગો બંધ હોય, લગ્નમાં વિઘ્ન આવે, ધંધામાં નુકસાન થાય. આવા લોકોએ ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. કેટલીક ખાસ વાતોને ધ્યાનમાં રાખીને જો પૂજા કરવામાં આવે તો તેની સકારાત્મક અસર જોવા મળે છે.

આ વાતોનું રાખો ધ્યાન

  • જો તમે ગુરુવારે પૂજા કરવા જઈ રહ્યા છો તો વહેલી સવારે પાણીમાં હળદર નાખો અને તેનાથી સ્નાન કર્યા પછી જ પૂજા પર બેસો. આમ કરવાથી મન એકાગ્ર બને છે અને શરીરને રોગોથી મુક્તિ મળે છે.
  • ભગવાન વિષ્ણુને કેળાનું વૃક્ષ વધુ પ્રિય છે, એટલા માટે જો શક્ય હોય તો કેળાના ઝાડ પાસે બેસીને પૂજા કરવી જોઈએ અને કેળાના ઝાડની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી પણ લાભ મળે છે.
  • પીતાબંર ધારી ભગવાન વિષ્ણુને પીળો રંગ  પ્રિય છે. સ્નાન કર્યા પછી પૂજા સમયે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ, પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ.
  • ऊं बृ बृहस्पतये नमः  નો જાપ એકાગ્ર મન અને ભક્તિ સાથે 108 વાર કરવો જોઈએ.

ગુરુવારની પૂજાનો લાભ

  • ગુરુવારની પૂજા કરવાથી કુંડળીના દોષ દૂર થાય છે.
  • જે વ્યક્તિ આ દિવસે પૂજા કરે છે તેને ધનની કમી નથી હોતી, ધનની અછત દૂર થઈ જાય છે.
  • ગુરુવારની પૂજા કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરાઈ જાય છે અને તેની પ્રગતિના માર્ગો ખુલી જાય છે.
  • જો કોઈ વિશેષ વ્યક્તિના લગ્નમાં કોઈ અડચણ આવતી હોય તો ગુરુવારે પૂજા કરવાથી તેના લગ્નમાં અડચણ આવતી નથી.

કેટલા ગુરુવારે વ્રત રાખવું જોઈએ?

ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપા મેળવવા માટે આ વ્રત સતત 16 ગુરુવાર સુધી રાખવું જોઈએ. ઉપવાસનું ઉથાપન 17માં ગુરૂવારે કરવું જોઈએ. જે સ્ત્રીઓ માસિક ધર્મના કારણે પૂજા કરી શકતી નથી તેમણે પછીના ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ. ગુરુવારના ઉપવાસ 1, 3, 5, 7, 9, 11 વર્ષ અથવા જીવનભર રાખી શકાય છે.


Guruwar Puja: પૈસાની તંગી દૂર કરવી હોય તો ગુરુવારે કરો આ મંત્રનો જાપ, થશે વિશેષ લાભ

ગુરુવારના વ્રતની પૂજા વિધિ

  • ગુરુવારના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો અને બાદમાં પીળા વસ્ત્રો પહેરો.
  • પૂજાની ચોકી પર ભગવાન વિષ્ણુની તસવીર સામે ઘીનો દીવો કરો અને 16 ગુરુવાર વ્રતનો સંકલ્પ લો.
  • એક કળશમાં પાણી અને હળદર નાંખી પૂજા સ્થાન પર રાખો.
  • ગુરુવાર વ્રત પૂજામાં પીળા રંગ સંબંધિત ફૂલ, વસ્ત્ર, ફળ, પીળા ચોખા વગરે ભગવાન વિષ્ણુને અર્પણ કરો.
  • પૂજામાં બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે બીજ મંત્ર ‘ॐ बृं बृहस्पतये नम:’ નો જાપ કરો.
  • ભગવાન વિષ્ણુને ગોળ અને ચણાની દાળ અર્પણ કરો અને પછી ગુરુવારના વ્રતની કથાનો પાઠ કરો અને અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરો.
  • ગુરુવારે કેળાના ઝાડની વિશેષ પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. ઘરમાં પૂજા કર્યા પછી કળશમાં ભરેલું પાણી કેળાના ઝાડના મૂળમાં નાખો.
  • નિયમ અનુસાર આ વ્ર્તમાં એક સમય મીઠા વગરનું પીળું ભોજન કરવું જોઈએ.
  • ગુરુવારના દિવસે પૂજા બાદ પીળા વસ્ત્ર, પીળું અનાજ, હળદર, કેળા વગેરેનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

Vastu Tips: આર્થિક તંગીથી રહો છો પરેશાન ? ઘરના મુખ્ય દ્વાર પર કરો આ બદલાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026: રક્ષાબંધન પર આ વખતે ચંદ્રગ્રહણનું સંકટ, શું ભારતમાં પણ દેખાશે ?
Chandra Grahan 2026: રક્ષાબંધન પર આ વખતે ચંદ્રગ્રહણનું સંકટ, શું ભારતમાં પણ દેખાશે ?
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
Horoscope Today: કાળભૈરવની કૃપાથી આ ચાર રાશિઓના વિરોધીઓ નહીં કરે પરેશાન, જાણો રાશિફળ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
Embed widget