શોધખોળ કરો

Dhanteras 2024 Date: ધનતેરસનો તહેવાર ક્યારે ઉજવાશે 29 કે 30 ઓક્ટોબરે? જાણો પૂજાનું શુભ મુહૂર્ત

ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર કુબેર દેવ, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરો.

Dhanteras 2024 Date: પાંચ દિવસીય દીપોત્સવની શરૂઆત ધનતેરસ (Dhanteras) ના દિવસથી શરૂ થાય છે. આ દિવસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને ધન્વંતરી ત્રયોદશી અથવા ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, જે આયુર્વેદના ભગવાનનો જન્મદિવસ છે. આ દિવસે પ્રદોષ કાળમાં લક્ષ્મી પૂજન (Laxmi Pujan)  અને ભગવાન કુબેર(Kuber) ની પૂજા કરવામાં આવે છે.

ધનતેરસ 2024 (Dhanteras 2024 Date)

વર્ષ 2024માં ધનતેરસની તારીખ (Dhanteras 2024 Date) અંગે લોકોમાં શંકા છે. પંચાંગ અનુસાર, ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 10.31 કલાકે શરૂ થશે. જ્યારે ત્રયોદશી તિથિ બીજા દિવસે 30 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 1.15 વાગ્યા સુધી રહેશે.

ધનતેરસ 2024 પૂજન મુહૂર્ત (Dhanteras 2024 Pujan Muhurat)

આવી સ્થિતિમાં 29 ઓક્ટોબર, 2024, મંગળવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. ધનતેરસની પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.31 થી 8.13 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન તમને ધનતેરસની પૂજા માટે કુલ 1 કલાક 42 મિનિટ મળશે.

ધનતેરસ 2024 પૂજન વિધિ (Dhanteras 2024 Pujan Vidhi)

ધનતેરસના દિવસે પૂજા સ્થાન પર કુબેર દેવ, લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરો.

તમામ દેવી-દેવતાઓને કુમકુમ, નાડાછડી, અક્ષત, પાન, સોપારી, મીઠાઈ, ફળ, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો.

ભગવાન સમક્ષ દીવો પ્રગટાવો.

પૂજા દરમિયાન ચાંદીનો સિક્કો અને નારિયેળ અવશ્ય સાથે રાખો.

આ પછી ભગવાન ધન્વંતરી અને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. આરતી પણ કરો.

આ દિવસે સાંજે ઘરની બહાર યમનો દીવો અવશ્ય પ્રગટાવો.

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, સાવરણી, ધાણા, ઘર, પિત્તળના વાસણો, દીવા અને વાહનોની ખરીદી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કોઈપણ નવી શુભ વસ્તુની ખરીદી કરવાથી તેનો લાભ અનેક ગણો વધી જાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP asmita કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                  

Dhanteras 2024 Muhurat: ધનતેરસ પર માત્ર આટલા કલાક હશે શુભ મુહૂર્ત, જાણો સોનું-ચાંદી ખરીદવાનો યોગ્ય સમય 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
chaitra Navratri : નવરાત્રિના આઠમાં નોરતે મા મહાગૌરીની પૂજાનું વિધાન, જાણો મંત્ર અને પૂજા વિધિ
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 
Ram Navami 2026: રામનવમી પર બનશે ગ્રહોનો ખાસ સંયોગ, આ રાશિઓને થશે મોટો ફાયદો 
Shukra Gochar 2026: 2 દિવસ બાદ શુક્રનું મેષ રાશિમાં ગોચર, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક મુશ્કેલી
Shukra Gochar 2026: 2 દિવસ બાદ શુક્રનું મેષ રાશિમાં ગોચર, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક મુશ્કેલી

વિડિઓઝ

Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
Embed widget