શોધખોળ કરો

દેવીઓના મંદિરો મોટાભાગે પહાડો પર જ કેમ હોય છે... ક્યારેય વિચાર્યું છે આખે તેની પાછળ શું કહાની છે?

ઊંચા પર્વતો પર દેવી-દેવતાઓના મંદિરો હોવા પાછળનું કારણ એ પણ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓને આશંકા હતી કે માણસો પાસે જે પણ સપાટ જમીન હશે તેનો ઉપયોગ કરશે અને ક્યાંય એકાંત બાકી રહેશે નહીં.

Why Devi Temples Located On Mountains: ભારતમાં હિંદુ દેવી-દેવતાઓના મોટાભાગના મંદિરો પર્વતો પર બનેલા છે. જો તમે નોંધ્યું હોય તો, ભારતમાં દેવી દેવતાઓના તમામ મહત્વપૂર્ણ સ્થાનો પર્વતો પર છે. જમ્મુમાં માતા વૈષ્ણો દેવીનું મંદિર હોય કે પછી ગુવાહાટીમાં મા કામાખ્યાનું મંદિર હોય કે પછી હરિદ્વારમાં મનસા માતાનું મંદિર હોય કે ચોટીલામાં ચામુંડા માતાનું મંદિર હોય. આ તમામ મંદિરોમાં દેવી માતા પર્વતો પર બિરાજમાન છે. આખરે શું કારણ છે કે તમામ દેવી-દેવતાઓના મંદિરો પહાડો પર છે? આવો જાણીએ તેની પાછળનું કારણ.

આ ધાર્મિક કારણોસર હોવાનું કહેવાય છે

વેદ અને પુરાણોમાં બ્રહ્માંડની મૂળ રચનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પૃથ્વી પાંચ તત્વોથી બનેલી છે અને તે માત્ર પાંચ તત્વોમાં જ ભળી જશે. આ પાંચ તત્વો છે જળ, વાયુ, અગ્નિ, જમીન અને આકાશ. વેદ અને પુરાણ અનુસાર આ પાંચ તત્વોના પાંચ દેવો છે.

જમીનના દેવતા શિવ છે, વાયુના દેવ વિષ્ણુ છે, પાણીના દેવ ગણેશ છે, અગ્નિના દેવતા અગ્નિ દેવ છે અને આકાશના દેવ સૂર્ય છે. માતા દુર્ગા જેને શક્તિ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. આ બધામાં તેમને સર્વોચ્ચ માનવામાં આવે છે. પર્વતોને પૃથ્વીનો તાજ અને સિંહાસન પણ કહેવામાં આવે છે. તેથી જ મોટાભાગના દેવી-દેવતાઓના સ્થાનો પર્વતો પર છે.

આ પણ એક કારણ માનવામાં આવે છે

ઊંચા પર્વતો પર દેવી-દેવતાઓના મંદિરો હોવા પાછળનું કારણ એ પણ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓને આ અંગે આશંકા હતી. માણસો પાસે જે પણ સપાટ જમીન હશે તેનો ઉપયોગ કરશે અને ક્યાંય એકાંત બાકી રહેશે નહીં.

કારણ કે જપ, ધ્યાન અને સાધના માટે એકાંત ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં પર્વતોને દેવી-દેવતાઓનું સ્થાન બનાવવું યોગ્ય માનવામાં આવતું હતું. ઊંચા પર્વતો પરનું વાતાવરણ પણ શુદ્ધ હોય છે તો સાથે સાથે ત્યાં જઈને પણ સકારાત્મકતાનો અનુભવ થાય છે. તેથી જ દેવી-દેવતાઓના સ્થાનો પર્વતો પર છે.

આ દેવીઓના મંદિરો પર્વતો પર છે.

જો પર્વતો પર આવેલા દેવી-દેવતાઓના મંદિરોની વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ મંદિર માતા વૈષ્ણો દેવીનું છે જે જમ્મુમાં છે. આ સાથે ગુવાહાટીમાં બનેલ કામાખ્યા દેવીનું મંદિર પણ ભક્તોની અપાર આસ્થા ધરાવે છે. હરિદ્વારમાં માતા મનસાનું મંદિર પણ પહાડો પર બનેલું છે. આ મંદિર ભલે ઊંચા શિખરો પર બનેલું છે, પરંતુ અહીં આવતા ભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. દર વર્ષે હજારો ભક્તો અહીં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget