શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

અમદાવાદ: રાજ્યમાં ઘણા દિવસોથી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘણા અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

અમદાવાદ: રાજ્યમાં ઘણા દિવસોથી માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘણા અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. હવે આ કડીમાં આજે પણ તંત્રની બુલડોઝર કાર્યવાહી યથાવત છે. આજે જુહાપુરા વિસ્તારમા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તંત્રએ નામચીન મોહમ્મદ મુશીર કુરેશીની ગેરકાયદેસર મિલકત તોડી પાડી છે. તમને જણાવી દઈએ કે, મોહમ્મદ મુશીર કુરેશી ઉર્ફે મૂશીર ડોન પર જુગાર, આર્મ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.  વેજલપુર વિસ્તારમાં ખંડણી, જમીન મકાન કે દુકાન  પડાવી લેવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં તે સામેલ છે. આ ઉપરાંત મોહમ્મદ મુસીરના અન્ય સાગરીતો પર પણ  કાર્યવાહી થશે. મુશીર હવેલી તરીકે ઓળખાતી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યુ છે. સામે આવેલી વિગતો અનુસાર  મોહમ્મદ મુશીરે  અંદાજે ૪ વિઘામાં આ આલીશાન બંગલો બનાવ્યો હતો.

સ્વીમિંગ પુલ, બાળકો માટે રમતના સાધનો સહિતની સુવિધાઓ આ બંગલામાં હાજર હતી. “ઇસ્માઇલ પેલેસ” ના નામથી આ હવેલી બનાવી હતી. બંગલાની જગ્યા માલિકીની છે પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવતા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. એએમસીના એસ્ટેટ અધિકારી શંકર અસારીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨માં ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી. જો કે, ત્યારે કોઈ કારણસર ડિમોલિશન થઈ શક્યું નહોતું. જો કે, અત્યાર સુધી કાર્યવાહી ન થતા એએમસીની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

મુસીરની હવેલીના ડિમોલેશન મામલે ડીસીપી શિવમ વર્માએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરખેજ, વેજલપુર, વાસણા, એલિસબ્રિજ, આનંદનગર સહિતના વિસ્તારોના ગુનેગારોની યાદી બનાવાઈ છે. તમામ વિસ્તારોમાં ૧૫૦ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે.  મુશીરની જગ્યા માલિકીની છે પણ ખેતીલાયક છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. આગમી દિવસોમાં મુશીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક જેવો ગુનો નોંધાશે. ફતેવાડી વિસ્તારમાં અન્ય ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત એએમસી જણાવશે ત્યારે પોલીસ બંદોબસ્ત આપશે.

રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી

હાલમાં રાજ્યમાં અસામાજીક તત્વો પર કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે કે આવા તત્વોએ સરકારની રિઝર્વ જગ્યાઓ પર ઉભા કરી દીધેલા મકાન-ચાલીઓ પર બુલડોઝર ફેરવવામાં આવે ત્યારે વિપક્ષનો સુર બદલાઇ જાય છે. જે લોકો રાત્રે લુખ્ખા તત્વો લાગતા હતા તે જ લોકો વિપક્ષને સવારે ગરીબ દેખાય છે.  

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે. ઘટનાનાં કલાકોમાં જ અસામાજિક તત્વોને પકડીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે. શહેરના રસ્તાઓને બાનમાં લેનારા આવા તત્વોને જે ભાષામાં સમજ પડતી હતી, તે ભાષામાં ગુજરાત પોલીસે કાયદાની મર્યાદામાં સમજાવ્યા છે. અને હજુ પણ આવા તત્વો સામે ગુજરાત પોલીસ આ જ પ્રકારે કડક પગલા લેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget