![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો
Tea Side Effects: મોટાભાગના લોકોનો દિવસ સવારે ગરમ- ગરમ ચા પીવાથી શરૂ થાય છે પરંતુ સવારે ખાલી પેટ ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાણો ખાલી પેટ ચા પીવાથી શું થાય છે આડઅસર
![Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો Empty stomach tea side effects morning tea harmful for health Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/05/9dfba9412c395e8ad6500fa4264702f8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tea Side Effects: મોટાભાગના લોકોનો દિવસ સવારે ગરમ- ગરમ ચા પીવાથી શરૂ થાય છે પરંતુ સવારે ખાલી પેટ ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાણો ખાલી પેટ ચા પીવાથી શું થાય છે આડઅસર.
જો દિવસની શરૂઆત ગરમ ચાના કપથી થાય છે, તો આનાથી સારું બીજું કંઈ નથી. ઘણા લોકોની સવાર માત્ર ચા સાથે હોય છે. જાગતાંની સાથે જ ચા ન મળે તો મૂડ ખરાબ થઇ જાય છે. મોટાભાગના લોકો બેડ ટીના શોખીન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટ ચા પીવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાનકારક છે. ચા જેટલી સ્ટ્રોન્ગ તેટલી વધુ નુકસાન કરે છે. કડક ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે તમને ખાલી પેટે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ સવારે ખાલી પેટ ચા પીવાના શોખીન છો તો જાણી લો આ આદત કેટલી નુકસાનકારક છે.
એસિડિટી વધારે છે
ખાલી પેટ ચા પીવાનો સૌથી મોટું નુકસાન એ છે કે, ચા પીધા પછી એસિડિટીની સમસ્યા વધી જાય છે. વહેલી સવારે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી થાય છે અને શરીરમાં હાજર પાચન રસને અસર કરે છે.
પાચનતંત્ર નબળું પાડે છે
રોજ ખાલી પેટ ચા પીવાથી ધીમે ધીમે પાચનતંત્ર નબળું પડે છે. જોકે ક્યારેક આવું કરવાથી વધારે નુકસાન થતું નથી, પરંતુ જો તમે લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ભૂખ ન લાગવી
રોજ ખાલી પેટ ચા પીવાથી ભૂખ પર પણ અસર પડે છે. વધારે ચા પીવાથી ભૂખ મરી જાય છે. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ચા પીવે છે, આવા લોકોનો આહાર ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.
પેટમાં બળતરા અને ઉલ્ટી થવી
ઘણીવાર ખાલી પેટે ચા પીવાથી પેટમાં બળતરા કે ઉલ્ટી પણ થઇ શકે છે. ચાના કારણે થતી એસિડીટીના કારણે આવું થાય છે. તેથી ઉનાળામાં ચા મર્યાદિત માત્રામાં પીઓ.
અનિંદ્રા અને તણાવ
ખાલી પેટ ચા પીવાથી ઊંઘ ઓછી થાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી તણાવની સમસ્યા પણ વધી જાય છે. બીજી તરફ, ખાલી પેટ ચા પીવાથી બ્લડ શુગર લેવલ વધે છે. એટલા માટે તમારે ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)