શોધખોળ કરો

Guruwar na Upay:ગુરુવારે કરો આ ઉપાય, આર્થિક સ્થિતિ થાય છે મજબૂત, મળે છે કાર્યસિદ્ધિનું વરદાન

Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે.

Guruwar na Upay: ગુરૂવાર ગુરૂને સમર્પિત છે. તેમજ આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચનનું પણ માહાત્મ્ય છે. તો જાણીએ કેવી રીતે પૂજન અર્ચન કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને કાર્યસિદ્ધનું વરદાન મળે છે.

આજે વર્ષ 2022 માં ઓગસ્ટ મહિનાનો બીજો ગુરુવાર અને સાવન મહિનાનો છેલ્લો ગુરુવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ભાગ્ય સાથ નથી આપી રહ્યું કે કોઈ સમસ્યા ચાલી રહી છે, તો ગુરુવારે કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.

ગુરુવારને બૃહસ્પતિ પણ કહેવાય છે. ગુરુ મહત્વનો ગ્રહ છે. ગુરુને દેવતાઓના ગુરૂ પણ  કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની પૂજા કરવાની ઘણી રીતો છે. જે કરવાથી તમારી કુંડળીનો ગુરુ (બૃહસ્પતિ) બળવાન બનશે અને તમારા બધા કાર્ય સિદ્ધ થશે.

ગુરુવારના ઉપાય

  • બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરો.
  • સ્નાન સમયે 'ઓમ બ્રી બૃહસ્પતે નમઃ' નો જાપ કરો.
  • ગુરુના કોઈપણ પ્રકારના દોષને દૂર કરવા માટે તમારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરવું જોઈએ.
  • સ્નાન કરતી વખતે "ઓમ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરો.
  • ગુરુવારે વ્રત રાખો અને કેળાના છોડની પૂજા કરીને જળ ચઢાવો. આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે.
  • સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો.
  • સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો.
  • ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલોની સાથે તુલસીના નાના પાન અર્પણ કરો.
  • કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો.
  • માન્યતા અનુસાર, ભગવાન બૃહસ્પતિને પીળી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. એટલા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે ચણાની દાળ, ફળ વગેરે બ્રાહ્મણોને દાન કરો.
  • આ દિવસે સવારે ઘરના મુખ્ય દરવાજા પર ચણાની દાળ અને થોડો ગોળ મૂકો.
  • ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુવારનો દિવસ ઘરની સંપત્તિ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
  • ગુરુવારે ન તો કોઈની પાસેથી ઉધાર ન લેવું. જો તમે આ કરો છો, તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.જો તમે ગુરુવારે વ્રત રાખો છો તો આ દિવસે સત્યનારાયણની વ્રત કથા અવશ્ય સાંભળો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAPને મળેલા ઝટકા પર સંજય રાઉતે કહ્યું, 'દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન...', કોંગ્રેસ પર આપ્યું મોટું નિવેદન
AAPને મળેલા ઝટકા પર સંજય રાઉતે કહ્યું, 'દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન...', કોંગ્રેસ પર આપ્યું મોટું નિવેદન
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Delhi Election Results: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સત્તામાં વાપસી પાછળ છે આ 5 મોટા કારણો
Delhi Election Results: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સત્તામાં વાપસી પાછળ છે આ 5 મોટા કારણો
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAPને મળેલા ઝટકા પર સંજય રાઉતે કહ્યું, 'દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન...', કોંગ્રેસ પર આપ્યું મોટું નિવેદન
AAPને મળેલા ઝટકા પર સંજય રાઉતે કહ્યું, 'દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન...', કોંગ્રેસ પર આપ્યું મોટું નિવેદન
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Okhla Results: મુસ્લિમ બહુમતી વળી ઓખલા બેઠક પર મોટો ઉલટફેર, BJP 8000 મતોથી આગળ, AAP ના અમાનતુલ્લાહ પછડાટ
Delhi Election Results: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સત્તામાં વાપસી પાછળ છે આ 5 મોટા કારણો
Delhi Election Results: દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સત્તામાં વાપસી પાછળ છે આ 5 મોટા કારણો
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
Milkipur Result: મિલ્કીપુરમાં બીજેપીની બલ્લે-બલ્લે, 8000 મતોથી ઉમેદવાર આગળ, સપાની ડિપૉઝીટ પણ થઇ શકે છે જપ્ત
દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા
દિલ્હીમાં ખેલાશે મોટો દાવ, ભાજપની મત ટકાવારી વધારી રહી છે AAPનું ટેન્શન, ચૂંટણી પંચના આંકડાએ ચોંકાવ્યા
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025: દિલ્હીની એકમાત્ર વિધાનસભા બેઠક, જેના પર કોંગ્રેસ ચાલી રહી છે આગળ
Delhi Election 2025 Results: દિલ્હીની આ 20 બેઠકો નક્કી કરશે સત્તા? જાણો રાજધાનીનું સમીકરણ
Delhi Election 2025 Results: દિલ્હીની આ 20 બેઠકો નક્કી કરશે સત્તા? જાણો રાજધાનીનું સમીકરણ
Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ
Delhi Election 2025: બેલેટ પેપરના વલણોએ ચોંકાવ્યા, સીએમ આતિશી અને પૂર્વ સીએમ કેજરીવાલ બન્ને પાછળ
Embed widget