શોધખોળ કરો

Navratri Recipe: નવરાત્રીમાં કરી રહ્યાં છો ઉપવાસ? આ ફૂડના સેવનથી નહી આવે વીકનેસ

Navratri Diet tips:જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરી રહ્યાં છો તો આ ડાયટ પ્લાનને અનુસરવાથી આપને વીકનેસ નહીં આવે અને નવરાત્રીના દિવસો આરામથી પસાર થઇ જશે

Navratri Recipe:જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરી રહ્યાં છો તો આ ડાયટ પ્લાનને અનુસરવાથી આપને વીકનેસ નહીં આવે અને નવરાત્રીના દિવસો આરામથી પસાર થઇ જશે

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પ્રસંગે ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જો તમે પણ આ શુભ અવસર પર ઉપવાસ કરી રહ્યાં છો, તો આ સમય દરમિયાન આપને આપની ડાયટ પર વિશેષ ધ્યાન આપવું પડશે.  નવ દિવસ આપને  આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તમને નબળાઈનો અનુભવ ન થાય. ખાસ કરીને આ સમય દરમિયાન ઉપવાસ કરનારાઓએ હેલ્ધી ડાયટ પસંદ કરવી જોઈએ, જેથી તમને ઉર્જાવાન રાખવાની સાથે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરી શકાય. આવો જાણીએ નવરાત્રિમાં શું ખાવું?

નવરાત્રીમાં ઉપવાસમાં લો આ એનર્જિક ફૂડ

આ લોટ લઇ શકો છો

ઉપવાસ દરમિયાન ઘઉં ખાવાનું ટાળવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો લોટ પસંદ કરવામાં મૂંઝવણ અનુભવે છે. જો તમે કંઈક હેલ્ધી ખાવા ઈચ્છતા હોવ તો આ સમય દરમિયાન  રાજગરાના લોટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને  ઉર્જા મળશે.

ડાયટમાં સિઝનલ ફળો કરો સામેલ

વ્રત દરમિયાન લગભગ તમામ પ્રકારના ફળોનું સેવન કરી શકાય છે. જો તમે તમારી જાતને ઉર્જાવાન રાખવા માંગતા હોવ તો આ સમય દરમિયાન સફરજન, કેળા, સંતરા જેવા ફળો ખાઓ. આ સાથે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ગાજર, કાકડી જેવી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.

ડ્રાયફ્રૂટસ ખાઓ

શરીરને ઉર્જાવાન રાખવા માટે ડ્રાય ફ્રુટ્સ ખાઓ. ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી નબળાઈનો અનુભવ થતો નથી. આ દરમિયાન, તમે તમારા આહારમાં કિસમિસ, કાજુ, પિસ્તા અને બદામ જેવા સૂકા ફળોને સ્મૂધી અને શેકમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

ડેરી ઉત્પાદનો જરૂરી છે

ઉપવાસ દરમિયાન ડેરી પ્રોડક્ટનો પણ  ઉપયોગ કરો.  ખાસ કરીને તમે તમારા આહારમાં દૂધ, દહીં અને દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આના કારણે તમારા શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીનની કમી નહીં રહે છે.

Navratri Recipe 2022: આપના કિચનમાં જ ઉપલબ્ધ આ વસ્તુઓથી બનાવો ટેસ્ટિ ફરાળી પેટિસ, જોઈ લો રેસિપિ 

નવરાત્રિના પાવન પર્વ પર ભક્તો માતાજીના ઉપવાસ રાખી આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન વિવિધ ફરાળ લોકો આરોગતા હોય છે. લોકો બહારથી જાત જાતની ફરાળી આઈટમ ખાતા હોય છે.. પણ આજે અમે તમને ઘરમાંથી જ મળી રહેતી સાધન સામગ્રીમાંથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં તૈયાર થતી રેસિપી બતાવી રહ્યા છીએ.. આજે આપણે જોઈશું ચટપટી સ્વાદિષ્ટ ફરાળી પેટિસની રેસિપિ.. 

 ફરાળી પેટિસ બનાવવા માટે પહેલા તો આટલી વસ્તુઓને કરી લો એકઠીઃ
* સુકા કોપરાને બારીક ખમણી લો
* શેકેલી શિંગને ફોતરા કાઢી અધકરતો ભૂકો કરી નાંખો 
* લીલા મરચા, આદુની અધકચરી પેસ્ટ 
* કાજુના ટુકડા 
* આખુ જીરુ 
* બારીક સમારેલી કોથમીર 
* ખાંડ(જરૂર પ્રમાણે)
* કિશમીશ 
* ગરમ મસાલો 
* મીઠુ સ્વાદ પ્રમાણે 
* તેલ(પેટિસને તળવા માટે)
* બાફેલા બટેકા 
* આરાલોટ 
* લેમન જ્યુસ 


હવે જોઈએ પેટિસ બનાવવાની રીત

*એક મોટા બાઉલમાં બાફેલા બટેકાને મેશ કરી લો. તેમાં અડધો કપ આરાનો લોટ, લીંબુનો જ્યુસ અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેના બોલ્સ બનાવી લેવા.

*હવે સ્ટફીંગનું મિશ્રણ બનાવવા માટે અડધો કપ સુકા કોપરાના બારીક ખમણ, શેકેલી શિંગના ફોતરા કાઢીને તેનો અધકચરો ભૂકો, આદુની પેસ્ટ, કાજુ, કિશમીશ, ગરમ મસાલો , લીંબુનો જ્યુસ, બારીક સમારેલી કોથમીર, અડધો ટી સ્પુન ખાંડ અને મીઠાને સ્વાદ મુજબ એડ કરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ સ્ટફિંગનાં મિશ્રણમાંથી બટેકાના બોલ્સ કરતા થોડા નાના બોલ્સ બનાવી લ્યો.

* બટેકાના મિશ્રણના બોલ્સને હાથ વડે નાનકડી પુરી સાઈઝમાં બનાવી તેમાં સ્ટફિંગ એડ કરી ફરી તેના બોલ્સ બનાવી લેવા. અને આ બોલ્સને બરાબર સીલ કરી લેવા જેથી ફ્રાય કરતી વખતે ખુલી ન શકે.

*હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને આ બોલ્સને ડીપ ફ્રાય કરો. ધ્યાન રાખો ફ્રાય કરતી વખતે થોડીક થોડીક વારે પેટિસ પર તેલ મુકતા જવું અને પેટિસને ફેરવતા રહેવું.. જેથી પેટિસ વ્યવસ્થિત રીતે ફ્રાઈ થઈ શકે. હવે પેટિસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને ઉતારી લો.

લ્યો હવે આ પેટિસને પ્લેટમાં મૂકી.. લીલા મરચાની તીખી ચટણી કે મસાલા દહીં સાથે તેને સર્વે કરો.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget