શોધખોળ કરો
શનિની સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકો કરો આ મંત્રનો જાપ, થશે ફાયદો
શનિવારે આ મંત્રનો જાપ વધારે ફળ આપે છે. ઋણ મુક્તિ, આકસ્મિક અવરોધોથી રાહત મળે છે.
![શનિની સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકો કરો આ મંત્રનો જાપ, થશે ફાયદો Know mediation chanting mantra for Shani dev details here શનિની સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકો કરો આ મંત્રનો જાપ, થશે ફાયદો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/27025117/shani1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શનિદેવના વિવિધ મંત્ર છે. તેમાં બીજ મંત્ર અને સ્તુતિ મંત્ર પણ આવે છે. શનિદેવની કૃપા મેળવવા ધ્યાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ મંત્રનો સારી રીતે પાઠ કરવાથી મનોબળ વધારી શકાય છે. કોર્ટ કચેરીના મામલામાં રાહત મેળવી શકાય છે. કાર્યોમાં ગતિ લાવી શકાય છે.
इन्द्रनीलद्युतिः शूलीवरदोगृध्रवाहनः।
बाणबाणासनधरः कर्त्तव्यार्कसुतस्तथा।।
આ મંત્ર ધ્યાન અવસ્થામાં બોલવો જોઈએ. શનૈઃ શનૈઃ ધ્યાનમાં આગળ વધવાથી આ મંત્ર સ્વયં મૌન જાપની અવસ્થામાં આવી જાય છે. તેનાથી શનિના સકારાત્મક પ્રભાવોમાં ઝડપથી વૃદ્ધિ આવે છે. સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકોએ આ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. તેનાથી બેચેની અને માનસિક પરેશાનીથી રાહત મળે છે.
જાપ દરમિયાન ઘેરા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. શનિને પ્રકૃતિ પસંદ હોવાથી વાતાવરણને સહજ પ્રકાશમાં રાખો. શનિવારે આ મંત્રનો જાપ વધારે ફળ આપે છે. ઋણ મુક્તિ, આકસ્મિક અવરોધોથી રાહત મળે છે. મકર સંક્રાતિથી મીન સંક્રાતિ વચ્ચે શનિ ગ્રહનો ઉપાય વિશેષ કારગર રહે છે. હાલ આ સમય 13 ફેબ્રુઆરી, શનિવાર, 2021 સુધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)