શોધખોળ કરો

Makar Sankranti 2026: મકરસંક્રાંતિ ક્યારે; 14 કે 15 જાન્યુઆરી? તારીખનું કન્ફ્યુઝન દૂર કરો, જાણો ક્યારે છે પુણ્યકાળ

Makar Sankranti 2026 Date: સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ બપોરે થશે; જ્યોતિષીઓના મતે સ્નાન અને દાન માટે કયો દિવસ શ્રેષ્ઠ? જાણો એકાદશીના કારણે ખીચડી બનાવવી કે નહીં તે અંગેના શાસ્ત્રોક્ત નિયમો.

Makar Sankranti 2026 Date: વર્ષ 2026 ની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ જેના માટે આતુર હોય છે તેવો મકરસંક્રાંતિ (Makar Sankranti) નો તહેવાર નજીક છે. જોકે, દર વખતની જેમ આ વર્ષે પણ લોકોમાં તારીખને લઈને ભારે અસમંજસ જોવા મળી રહી છે. સવાલ એ છે કે ઉત્તરાયણ 14 January એ ઉજવવી કે 15 January એ? શાસ્ત્રો અને જ્યોતિષીય ગણતરી મુજબ આ વખતે સ્થિતિ થોડી પેચીદી છે કારણ કે સૂર્યનું રાશિ પરિવર્તન બપોરના સમયે થઈ રહ્યું છે.

શા માટે સર્જાઈ છે મૂંઝવણ?

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવાય છે. પંચાંગના આંકડા જોઈએ તો, 14 January, 2026 ના રોજ બપોરે 3:07 PM વાગ્યે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. સામાન્ય રીતે તહેવારો 'ઉદયતિથિ' (સૂર્યોદય સમયની તિથિ) મુજબ ઉજવાતા હોય છે, પરંતુ અહીં સૂર્યનો પ્રવેશ બપોરે હોવાથી બે અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે.

14 જાન્યુઆરીનું મહત્વ: સંક્રાંતિનો પ્રવેશ

એક મત મુજબ, 14 January એ બપોરે સૂર્ય મકર રાશિમાં પ્રવેશી રહ્યો હોવાથી, આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવો શ્રેષ્ઠ છે. પંચાંગમાં પણ આ દિવસે પુણ્યકાળ અને મહાપુણ્યકાળ દર્શાવવામાં આવ્યો છે.

ખાસ નોંધ: આ દિવસે 'એકાદશી' (Ekadashi) હોવાનો સંયોગ છે. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત છે. તેથી જો તમે 14 તારીખે પર્વ ઉજવો છો, તો ખીચડી બનાવવાનું અને ચોખાનું દાન કરવાનું ટાળવું જોઈએ અથવા તે વિધિ બીજા દિવસે કરવી જોઈએ.

15 જાન્યુઆરીનું મહત્વ: ઉદયતિથિનો નિયમ

હિન્દુ ધર્મમાં સૂર્યોદયનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિ એ સૂર્યનો જ તહેવાર છે. શાસ્ત્રોના નિયમ મુજબ, જો સંક્રાંતિ બપોરે કે સાંજે બેસે છે, તો બીજા દિવસે સૂર્યોદય સમયે સ્નાન અને દાન કરવું ફળદાયી ગણાય છે.

તેથી, 15 January ના રોજ ઉદયતિથિ હોવાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દાન-પુણ્ય કરવા માટે આ દિવસ અત્યંત શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. મોટાભાગના જ્યોતિષીઓ સ્નાન-દાન માટે 15 તારીખની તરફેણ કરે છે.

ક્યારે ઉજવવી?

બંને તારીખોના પોતાના તર્ક છે. પરંતુ જ્યોતિષીય ગણતરી અને પરંપરા મુજબ, સૂર્યનું રાશિ પરિવર્તન 14 January એ થઈ રહ્યું હોવાથી મુખ્ય પર્વ તે દિવસે જ ગણાશે. જ્યારે દાન-પુણ્ય અને સ્નાન માટે 15 January ની સવારનો સમય ઉત્તમ રહેશે. જો કે, કેટલાક પ્રાદેશિક પંચાંગોમાં ભિન્નતા હોઈ શકે છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. ચોક્કસ નિર્ણય લેતા પહેલા આપના કુળગોર અથવા નિષ્ણાતની સલાહ લેવી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog : આ તારીખે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓ થઈ જશે માલામાલ 
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Mahalaxmi Rajyog 2026: મહાલક્ષ્મીના રાજયોગથી ખૂલશે ધન અને સફળતાના રસ્તા, આ 3 રાશિ માટે સફળતાના મજબૂત યોગ
Thursday Remedy: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ
Thursday Remedy: ગુરુવારે ભગવાન વિષ્ણુને આ ત્રણ વસ્તુઓ અર્પણ કરો, દરેક મનોકામના થશે પૂર્ણ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિના જાતકનો દિવસ રહેશે ખુશનુમા, જાણો રાશિફળ
Today's horoscope: વૃષભ સહિત આ રાશિના જાતકનો દિવસ રહેશે ખુશનુમા, જાણો રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Hun To Bolish : હું તો બોલીશ : લાઈસન્સ વગર નહીં વેચાય દૂધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
Israel US Iran War: ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાનો પ્રથમ સંદેશ, 'હોર્મુઝ બંધ રહેશે અને પિતાના ખૂનનો બદલો લઈશ'
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
25 દિવસ પછી પણ બુક ન થાય સિલિન્ડર તો ક્યાં ફરિયાદ કરવી, જાણી લો તમામ એજન્સીઓના નંબર
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
મસૂરીમાં લગ્ન કરશે કુલદીપ યાદવ, આ લક્ઝરી હોટેલ કરવામાં આવી બુક, 6 હજારની ડીસ આરોગશે મહેમાનો
મસૂરીમાં લગ્ન કરશે કુલદીપ યાદવ, આ લક્ઝરી હોટેલ કરવામાં આવી બુક, 6 હજારની ડીસ આરોગશે મહેમાનો
Embed widget