શોધખોળ કરો

Makar Sankranti 2026: મકરસંક્રાંતિ ક્યારે; 14 કે 15 જાન્યુઆરી? તારીખનું કન્ફ્યુઝન દૂર કરો, જાણો ક્યારે છે પુણ્યકાળ

Makar Sankranti 2026 Date: સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ બપોરે થશે; જ્યોતિષીઓના મતે સ્નાન અને દાન માટે કયો દિવસ શ્રેષ્ઠ? જાણો એકાદશીના કારણે ખીચડી બનાવવી કે નહીં તે અંગેના શાસ્ત્રોક્ત નિયમો.

Makar Sankranti 2026 Date: વર્ષ 2026 ની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ જેના માટે આતુર હોય છે તેવો મકરસંક્રાંતિ (Makar Sankranti) નો તહેવાર નજીક છે. જોકે, દર વખતની જેમ આ વર્ષે પણ લોકોમાં તારીખને લઈને ભારે અસમંજસ જોવા મળી રહી છે. સવાલ એ છે કે ઉત્તરાયણ 14 January એ ઉજવવી કે 15 January એ? શાસ્ત્રો અને જ્યોતિષીય ગણતરી મુજબ આ વખતે સ્થિતિ થોડી પેચીદી છે કારણ કે સૂર્યનું રાશિ પરિવર્તન બપોરના સમયે થઈ રહ્યું છે.

શા માટે સર્જાઈ છે મૂંઝવણ?

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવાય છે. પંચાંગના આંકડા જોઈએ તો, 14 January, 2026 ના રોજ બપોરે 3:07 PM વાગ્યે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. સામાન્ય રીતે તહેવારો 'ઉદયતિથિ' (સૂર્યોદય સમયની તિથિ) મુજબ ઉજવાતા હોય છે, પરંતુ અહીં સૂર્યનો પ્રવેશ બપોરે હોવાથી બે અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે.

14 જાન્યુઆરીનું મહત્વ: સંક્રાંતિનો પ્રવેશ

એક મત મુજબ, 14 January એ બપોરે સૂર્ય મકર રાશિમાં પ્રવેશી રહ્યો હોવાથી, આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવો શ્રેષ્ઠ છે. પંચાંગમાં પણ આ દિવસે પુણ્યકાળ અને મહાપુણ્યકાળ દર્શાવવામાં આવ્યો છે.

ખાસ નોંધ: આ દિવસે 'એકાદશી' (Ekadashi) હોવાનો સંયોગ છે. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત છે. તેથી જો તમે 14 તારીખે પર્વ ઉજવો છો, તો ખીચડી બનાવવાનું અને ચોખાનું દાન કરવાનું ટાળવું જોઈએ અથવા તે વિધિ બીજા દિવસે કરવી જોઈએ.

15 જાન્યુઆરીનું મહત્વ: ઉદયતિથિનો નિયમ

હિન્દુ ધર્મમાં સૂર્યોદયનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિ એ સૂર્યનો જ તહેવાર છે. શાસ્ત્રોના નિયમ મુજબ, જો સંક્રાંતિ બપોરે કે સાંજે બેસે છે, તો બીજા દિવસે સૂર્યોદય સમયે સ્નાન અને દાન કરવું ફળદાયી ગણાય છે.

તેથી, 15 January ના રોજ ઉદયતિથિ હોવાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દાન-પુણ્ય કરવા માટે આ દિવસ અત્યંત શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. મોટાભાગના જ્યોતિષીઓ સ્નાન-દાન માટે 15 તારીખની તરફેણ કરે છે.

ક્યારે ઉજવવી?

બંને તારીખોના પોતાના તર્ક છે. પરંતુ જ્યોતિષીય ગણતરી અને પરંપરા મુજબ, સૂર્યનું રાશિ પરિવર્તન 14 January એ થઈ રહ્યું હોવાથી મુખ્ય પર્વ તે દિવસે જ ગણાશે. જ્યારે દાન-પુણ્ય અને સ્નાન માટે 15 January ની સવારનો સમય ઉત્તમ રહેશે. જો કે, કેટલાક પ્રાદેશિક પંચાંગોમાં ભિન્નતા હોઈ શકે છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. ચોક્કસ નિર્ણય લેતા પહેલા આપના કુળગોર અથવા નિષ્ણાતની સલાહ લેવી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
Shani Vakri 2026: 9 ઓક્ટોબર સુધી શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓની વધશે મુશ્કેલીઓ
Shani Vakri 2026: 9 ઓક્ટોબર સુધી શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓની વધશે મુશ્કેલીઓ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Embed widget