શોધખોળ કરો

Navratri 2025 1st Day : શારદિય નવરાત્રિનો આજે પ્રથમ દિવસ, શૈલપુત્રીની આ વિધિ વિધાનથી કરો પૂજા

Navratri 2025 1st Day :આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ શુભ અવસર પર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે

Navratri 2025 1st Day :આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ શુભ અવસર પર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન પછી મા શૈલપુત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. શૈલ એટલે હિમાલય અને પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે માતા પાર્વતીને શૈલપુત્રી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ શ્રદ્ધા અને વિધિપૂર્વક મા શૈલપુત્રીની પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. માતા શૈલપુત્રીના આશીર્વાદથી તમને ઈચ્છિત ફળ મળે છે.

માતા શૈલપુત્રીનું સ્વરૂપ

માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંત, સરળ, નમ્ર અને દયાથી ભરેલું છે. માતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. તેઓ નંદી નામના બળદ પર સવાર થઈને હિમાલય પર બિરાજમાન છે. નંદીને ભગવાન શિવનો ગણ માનવામાં આવે છે. તપસ્યા કરનારા માતા શૈલપુત્રી તમામ વન્ય જીવોની રક્ષક પણ છે અને સૌંદર્ય અને દયાની મૂર્તિ પણ છે. જે ભક્તો દેવી શૈલપુત્રીની પૂજા કરે છે અને નવરાત્રિના પ્રથમ દિવસે વ્રત રાખે છે, તેમના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે અને માતા સંકટ સમયે તેમની રક્ષા કરે છે. તે તેમના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે.

નવરાત્રિના પહેલા દિવસે આ રીતે કરો ઘટસ્થાપન

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપનમાં તાંબા અથવા માટીના કળશમાં દેવી દુર્ગાનું આહવાન કરવામાં આવે છે. આ કળશને નવ દિવસ સુધી પૂજા સ્થાન પર રાખવામાં આવે છે. ઘટસ્થાપન માટે ગંગાજળ, નારિયેળ, લાલ કપડું, ચંદન, પાન, સોપારી, ધૂપ, ઘીનો દીવો, તાજા ફળો, ફૂલની માળા, બેલપત્રોની માળા અને  અક્ષત લો.

નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપના, અથવા કળશ સ્થાપિત કરવાનું ખૂબ મહત્વ છે. નવરાત્રિના પ્રથમ દિવસ વિધિવત કળશની સ્થાપના કર્યાં બાદ માતાજીની સાથે તેમની પણ નવ દિવસ પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘટસ્થાપનનું શુભ મૂહૂર્ત અને વિધિ વિધાન જાણીએ

આ વખતે નવરાત્રિ 22 સપ્ટેમ્બર, સોમવારથી શુભ સંયોગથી શરૂ થઈ રહી છે. આ દિવસે, અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિ સૂર્યોદયથી જ પ્રબળ રહેશે. અને તેની સાથે, સવારે 11:24 વાગ્યા સુધી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો સંયોગ રહેશે. અને આ પછી હસ્ત નક્ષત્ર શરૂ થશે. પરંતુ રાહુકાલ પણ સવારે 7:30 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી પ્રબળ રહેશે. શાસ્ત્રો અનુસાર, સવારે 7:30 વાગ્યા પહેલા અને સવારે 9 વાગ્યા પછી ઘરમાં કળશ સ્થાપિત કરે તો શ્રેષ્ઠ રહેશે. જ્યારે, પૂજા પંડાલમાં અભિજીત મુહૂર્તમાં દુર્ગા પૂજા માટે કળશ સ્થાપિત કરવાનુંભ રહેશે. 

મા શૈલપુત્રીની પૂજાવિધિ

મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી તે વિશે દેવી ભાગવત પુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને અને મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરીને પૂજાની શરૂઆત કરો.

આસો નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. આ પછી પૂજા સ્થળ પર ગંગા જળ છાંટીને શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેના પર મા દુર્ગાની મૂર્તિ, ચિત્ર અથવા ફોટો સ્થાપિત કરવામાં આવે છે. કળશની સ્થાપના સમગ્ર પરિવાર સાથે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવે છે

ઘટસ્થાપના પછી મા શૈલપુત્રીના ધ્યાન મંત્રનો જાપ કરો અને નવરાત્રિ વ્રતનો સંકલ્પ લો. મા દુર્ગાની પ્રથમ શક્તિ મા શૈલપુત્રીની પૂજા ષોડશોપચાર પદ્ધતિથી કરવામાં આવે છે. તેમની પૂજામાં તમામ નદીઓ, તીર્થસ્થાનો અને દિશાઓનું આહવાન કરવામાં આવે છે.

માતાને કુમકુમ અર્પણ કરો અને સફેદ, પીળા કે લાલ ફૂલ ચઢાવો. માતાની સામે ધૂપ અને દીવો પ્રગટાવો. તેમજ પાંચ દેશી ઘીના દીવા પ્રગટાવો. આ પછી માતા શૈલપુત્રીની આરતી કરો.

પછી માતાની કથા, દુર્ગા ચાલિસા, દુર્ગા સ્તુતિ અથવા દુર્ગા સપ્તશતી વગેરેનો પાઠ કરો. તેમજ પરિવાર સાથે માતા દેવીની સ્તુતિ કરો. અંતમાં માતાને ભોગ અર્પણ કરી પૂજા પૂર્ણ કરો. સાંજની પૂજામાં પણ માતાની આરતી કરો અને મંત્રોચ્ચાર અને ધ્યાન કરો.

માતા શૈલપુત્રીનો પ્રસાદ

નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. શૈલનો અર્થ થાય છે પથ્થર, જેને હંમેશા અડગ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું ઘણું મહત્વ છે. માતાને પ્રસન્ન કરવા માટે સફેદ ફૂલ, વસ્ત્રો અને મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓને સારો વર મળે છે. સાથે જ ઘરમાં પૈસા અને અનાજની ખોટ રહેતી નથી

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tomorrow's horoscope: કન્યા સહિત આ રાશિને 6 એપ્રિલે મળી શકે છે ખુશખબર, જાણો સોમવારનું રાશિફળ
Tomorrow's horoscope: કન્યા સહિત આ રાશિને 6 એપ્રિલે મળી શકે છે ખુશખબર, જાણો સોમવારનું રાશિફળ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ
April 2026 Monthly Horoscope : એપ્રિલમાં રાજયોગની સાથે બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિને થશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!
IPL 2026 પોઈન્ટ ટેબલ: વરસાદે ધોઈ નાખી કોલકાતા પંજાબની મેચ, ફ્રી ના એક પોઈન્ટથી પંજાબને થયો મોટો ફાયદો!
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
Embed widget