શોધખોળ કરો

Shravan 2024: શિવલિંગ પર ભૂલથી પણ આ વસ્તુઓ ન ચઢાવો, ભગવાન શિવ નારાજ થઈ શકે છે

Shravan 2024: શ્રાવણમાં શિવજીની પૂજા કરવાથી જન્મોજન્માંતરના પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિને અમોઘ ફળ પ્રાપ્ત થાય છે પરંતુ પૂજનમાં કેટલીક એવી સામગ્રી છે જે શિવજી પર નહીં ચઢાવવી જોઈએ.

Shravan Puja: દેવોના દેવ મહાદેવના મનને ગમતો શ્રાવણ મહિનો સોમવાર 05 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણના મહિનામાં શિવલિંગ પર ગંગાજળ, બેલપત્ર, ધતૂરો, ભાંગ, બોર, શમીપત્ર અને કનેરના પુષ્પો અર્પણ કરવામાં આવે છે, જેથી ભગવાન ભોળાનાથ જલદી પ્રસન્ન થઈ જાય.

જ્યારે શાસ્ત્રોમાં કેટલીક પૂજા સામગ્રી શ્રાવણ માસ હોય કે કોઈ પણ દિવસ હોય શિવજીને અર્પણ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ ભગવાન શિવની પૂજામાં કઈ-કઈ વસ્તુઓ નહીં ચઢાવવી જોઈએ.

શ્રાવણમાં શિવજી પર આ વસ્તુઓ ન ચઢાવો (Shiv Puja Niyam)

આ ફૂલ ન ચઢાવો - કેતકીને જૂઠું બોલવાના કારણે ભોળાનાથથી શ્રાપ મળ્યો છે. ત્યારથી કેતકીના પુષ્પો ભગવાન શિવને નથી ચઢતા, એટલે આ પુષ્પને શિવલિંગ પર ક્યારેય નહીં ચઢાવવું જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

કુમકુમ કેમ નથી ચઢતું - કુમકુમ એક શૃંગારની સામગ્રી છે જ્યારે ભોળાનાથ તો વૈરાગી છે, એટલે શિવજી કે શિવલિંગ પર કુમકુમથી ના તો શૃંગાર કરવામાં આવે છે અને ના તો ટીકો લગાવવામાં આવે છે. તેમને હંમેશા ચંદન કે અષ્ટગંધનો ટીકો લગાવવામાં આવે છે.

હળદર - સામાન્ય રીતે અધૂરું જ્ઞાન હોવાથી લોકો હળદરનો લેપ પણ શિવલિંગ પર કરી દે છે, જે સંપૂર્ણપણે વર્જિત છે, કારણ કે હળદર પણ એક શૃંગાર સામગ્રી માનવામાં આવી છે.

શંખ કેમ નથી કરતા ઉપયોગ - શિવ પૂજામાં શંખનો ઉપયોગ નથી કરવામાં આવતો, કારણ કે શંખચૂડનો વધ ભગવાન શિવે કર્યો હતો અને શંખને શંખચૂડનું જ રૂપ માનવામાં આવ્યું છે, એટલે શિવલિંગની પૂજા અને અભિષેકમાં શંખનો પ્રયોગ નથી કરવામાં આવતો.

આ ફળ નથી ચઢતું - નાળિયેરનો ઉપયોગ પણ શિવલિંગ પર નથી કરવામાં આવતો. નાળિયેરનો પ્રસાદ પણ શિવલિંગ પર નથી ચઢાવતા અને ના તો તેના જળથી શિવલિંગ પર અભિષેક થાય છે. જો તમે શિવલિંગ પર નાળિયેર ચઢાવો છો તો તેને અખંડ રૂપે ચઢાવીને શિવને અર્પણ કરી દો.

આ પાન વર્જિત છે - તુલસીનો પ્રસાદ કે તુલસી દળનો પ્રયોગ શિવલિંગમાં કોઈ પણ રૂપમાં નથી કરવામાં આવતો અને ના તો શિવલિંગ પર તેને ચઢાવવામાં આવે છે, આવું કરવું વર્જિત છે કારણ કે તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે તેનો ઉપયોગ શિવજીની પૂજામાં સંપૂર્ણપણે વર્જિત છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે આનંદદાયક દિવસ, જાણો આપનું ભવિષ્યકથન
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ
25 જુલાઈના રોજ બુધ ગ્રહના ઉદય સાથે, આ 4 રાશિનો થશે ભાગ્યોદય, ધન લાભના યોગ બનશે પ્રબળ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget