શોધખોળ કરો

Shravan 2024: શિવલિંગ પર ભૂલથી પણ આ વસ્તુઓ ન ચઢાવો, ભગવાન શિવ નારાજ થઈ શકે છે

Shravan 2024: શ્રાવણમાં શિવજીની પૂજા કરવાથી જન્મોજન્માંતરના પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિને અમોઘ ફળ પ્રાપ્ત થાય છે પરંતુ પૂજનમાં કેટલીક એવી સામગ્રી છે જે શિવજી પર નહીં ચઢાવવી જોઈએ.

Shravan Puja: દેવોના દેવ મહાદેવના મનને ગમતો શ્રાવણ મહિનો સોમવાર 05 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણના મહિનામાં શિવલિંગ પર ગંગાજળ, બેલપત્ર, ધતૂરો, ભાંગ, બોર, શમીપત્ર અને કનેરના પુષ્પો અર્પણ કરવામાં આવે છે, જેથી ભગવાન ભોળાનાથ જલદી પ્રસન્ન થઈ જાય.

જ્યારે શાસ્ત્રોમાં કેટલીક પૂજા સામગ્રી શ્રાવણ માસ હોય કે કોઈ પણ દિવસ હોય શિવજીને અર્પણ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ ભગવાન શિવની પૂજામાં કઈ-કઈ વસ્તુઓ નહીં ચઢાવવી જોઈએ.

શ્રાવણમાં શિવજી પર આ વસ્તુઓ ન ચઢાવો (Shiv Puja Niyam)

આ ફૂલ ન ચઢાવો - કેતકીને જૂઠું બોલવાના કારણે ભોળાનાથથી શ્રાપ મળ્યો છે. ત્યારથી કેતકીના પુષ્પો ભગવાન શિવને નથી ચઢતા, એટલે આ પુષ્પને શિવલિંગ પર ક્યારેય નહીં ચઢાવવું જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

કુમકુમ કેમ નથી ચઢતું - કુમકુમ એક શૃંગારની સામગ્રી છે જ્યારે ભોળાનાથ તો વૈરાગી છે, એટલે શિવજી કે શિવલિંગ પર કુમકુમથી ના તો શૃંગાર કરવામાં આવે છે અને ના તો ટીકો લગાવવામાં આવે છે. તેમને હંમેશા ચંદન કે અષ્ટગંધનો ટીકો લગાવવામાં આવે છે.

હળદર - સામાન્ય રીતે અધૂરું જ્ઞાન હોવાથી લોકો હળદરનો લેપ પણ શિવલિંગ પર કરી દે છે, જે સંપૂર્ણપણે વર્જિત છે, કારણ કે હળદર પણ એક શૃંગાર સામગ્રી માનવામાં આવી છે.

શંખ કેમ નથી કરતા ઉપયોગ - શિવ પૂજામાં શંખનો ઉપયોગ નથી કરવામાં આવતો, કારણ કે શંખચૂડનો વધ ભગવાન શિવે કર્યો હતો અને શંખને શંખચૂડનું જ રૂપ માનવામાં આવ્યું છે, એટલે શિવલિંગની પૂજા અને અભિષેકમાં શંખનો પ્રયોગ નથી કરવામાં આવતો.

આ ફળ નથી ચઢતું - નાળિયેરનો ઉપયોગ પણ શિવલિંગ પર નથી કરવામાં આવતો. નાળિયેરનો પ્રસાદ પણ શિવલિંગ પર નથી ચઢાવતા અને ના તો તેના જળથી શિવલિંગ પર અભિષેક થાય છે. જો તમે શિવલિંગ પર નાળિયેર ચઢાવો છો તો તેને અખંડ રૂપે ચઢાવીને શિવને અર્પણ કરી દો.

આ પાન વર્જિત છે - તુલસીનો પ્રસાદ કે તુલસી દળનો પ્રયોગ શિવલિંગમાં કોઈ પણ રૂપમાં નથી કરવામાં આવતો અને ના તો શિવલિંગ પર તેને ચઢાવવામાં આવે છે, આવું કરવું વર્જિત છે કારણ કે તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે તેનો ઉપયોગ શિવજીની પૂજામાં સંપૂર્ણપણે વર્જિત છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST Council: કેન્સરની દવાઓ થશે સસ્તી, GSTમાં થયો ઘટાડો, નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી
GST Council: કેન્સરની દવાઓ થશે સસ્તી, GSTમાં થયો ઘટાડો, નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST Council: કેન્સરની દવાઓ થશે સસ્તી, GSTમાં થયો ઘટાડો, નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી
GST Council: કેન્સરની દવાઓ થશે સસ્તી, GSTમાં થયો ઘટાડો, નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો પડકાર, ટ્રૂડો સરકારે બદલી નાખ્યા નિયમો, હવે ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થશે...
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો પડકાર, ટ્રૂડો સરકારે બદલી નાખ્યા નિયમો, હવે ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થશે...
Embed widget