Mahashivratri 2026: આ રાશિ પર મહાદેવની રહે છે વિશેષ કૃપા, જાણો કઇ છે ભાગ્યશાળી રાશિ
Mahashivratri 2026:જયોતિષી દષ્ટીકોણથી સમજીએ તો 12 રાશિ પર જુદા જુદા દેવી દેવતાની કૃપા હોય છે. આ રાશિના તે ઇષ્ટદેવતા કહેવાય છે. તો એવી 4 રાશિ છે જેના ઇષ્ટદેવ, આ રાશિના સ્વામી મહાદેવ છે.

Mahashivratri 2026: મહાશિવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 15 ફેબ્રુઆરીએ આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે અને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર હંમેશા મહાદેવની સદૈવ કૃપા રહે છે.
જયોતિષી દષ્ટીકોણથી સમજીએ તો 12 રાશિ પર જુદા જુદા દેવી દેવતાની કૃપા હોય છે. આ રાશિના તે ઇષ્ટદેવતા કહેવાય છે. તો એવી 4 રાશિ છે જેના ઇષ્ટદેવ, આ રાશિના સ્વામી મહાદેવ છે, આ રાશિના લોકોને મહાદેવની ભક્તિ શીઘ્ર ફળે છે. જાણીએ કઇ મહાદેવની પ્રિય એ રાશિ..
મહાશિવરાત્રીના દિવસે મંદિરો અને શિવ મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ખાસ દિવસે દરેક વ્યક્તિ ભગવાન ભોલેનાથની પૂજા કરીને આશીર્વાદ મેળવવા માંગે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.
પરંતુ જ્યોતિષમાં કેટલીક એવી રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના પર મહાદેવની કૃપા હંમેશા રહે છે. કારણ કે, આ ભગવાન શિવની પ્રિય રાશિઓ છે અને કોઈને કોઈ રીતે આ રાશિઓ ભગવાન શિવ સાથે સંબંધિત છે. ચાલો જાણીએ ભગવાન શિવની પ્રિય રાશિઓ વિશે.
મહાદેવની આ છે 4 પ્રિય રાશિ
- વૃષભ: શિવનું વાહન નંદી છે અને નંદી શિવને ખૂબ પ્રિય છે. તેમને શિવના દ્વારપાલ અથવા સંદેશવાહક કહેવામાં આવે છે. વૃષભ પણ નંદી દેવ સાથે જોડાયેલી એક રાશિ છે, તેથી તે ભગવાન શિવને પણ પ્રિય છે.
- મિથુન: મિથુન રાશિનો સંબંધ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપ સાથે છે. આ સ્વરૂપમાં શિવ અને શક્તિનો વાસ છે. મિથુન એટલે પુરુષ અને સ્ત્રીની જોડી. આ રાશિચક્રના પ્રતીક અથવા ચિહ્નમાં પુરુષો અને સ્ત્રીઓ પણ છે. એટલા માટે ભગવાન શિવ મિથુન રાશિના લોકો પર હંમેશા કૃપા વરસાવે છે.
- કર્કઃ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, તેથી આ રાશિ ભગવાન શિવને પ્રિય છે. કારણ કે ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્રને શણગાર્યો છે. આવી સ્થિતિમાં, જો તમારી રાશિ પણ કર્ક છે, તો તમને પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે.
- ધન : ધનુરાશિનું પ્રતીક ધનુષ છે. ભગવાન શિવ પાસે પિનાકી ધનુષ્ય પણ છે, જેનો ઉપયોગ વિનાશ સમયે કરવામાં આવ્યો હતો. ધનુષ્યનું પ્રતીક હોવાને કારણે, ધન રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક છે.
- કુંભ: કુંભ રાશિ પણ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક છે. તેનું કારણ એ છે કે, ભગવાન શિવના કુંભ જેવી જટામાં ગંગાનો વાસ છે. જ્યારે ભગીરથ ગંગાને પૃથ્વી પર લાવ્યા, ત્યારે ભગવાન શિવે તેની જટાને કુંભમાં પરિવર્તિત કરી અને કુંભમાં ગંગાના પ્રવાહને ઝીલ્યો હતો.




















