શોધખોળ કરો

Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રિનો ક્યારથી થાય છે પ્રારંભ, જાણો ઘટ સ્થાપનનું શુભ મુહુર્ત અને વિધિ વિધાન

Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Chaitra Navratri Puja: ચૈત્ર નવરાત્રીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન મા જગદમ્બેના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી 2024 એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે નવ રાત. કેટલાક રાજ્યોમાં નવરાત્રીને ગુડી પડવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર મહિનાની પહેલી તારીખથી નવરાત્રિ શરૂ થાય છે. હિન્દુઓનું નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે.

ચૈત્ર નવરાત્રિ દરમિયાન, લોકો મા દુર્ગાના નવ સ્વરૂપો એટલે કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, મા કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની સતત 9 દિવસ સુધી મહાન વિધિ સાથે પૂજા કરે છે. નવરાત્રિની પ્રથમ તિથિએ કલશની સ્થાપના કરવામાં આવે છે. તે પછી 9 દિવસ સુધી કલશની પૂજા કરવામાં આવે છે.

આ વખતે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલ એટલે કે મંગળવારથી શરૂ થશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપનનું  શુભ મુહુર્ત  સવારે 06:01 થી 10:15 સુધીનું રહેશે

માતાનું વાહન શું હશે

ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું વાહન  ઘોડો હશે. માતા રાની ઘોડા પર સવાર થઇને આવે છે. માતાજીનું વાહન શું હશે તે એ વાત પર નિર્ભર હોય છે કે નવરાત્રિ ક્યાં દિવસથી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલ મંગળવારથી શરૂ થઇ રહી છે. તેથી મા દુર્ગાનું વાહન અશ્વ એટલે કે ઘોડો છે. જો કે માની અશ્વ પર સવારી શુભ નથી માનવામાં આવતી. માતાની ઘોડા પર સવારી આફતનો સંકેત આપે છે.

ચૈત્ર નવરાત્રિનું મહત્વ

હિન્દુ પંચાગ અનુસાર નવા વર્ષના પ્રારંભથી રામ નવમી સુધી ચૈત્ર નવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ નવરાત્રિને વસંતના નામથી પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના પહેલા નોરતે ઘટસ્થાપન કરવામાં આવે છે. નવ દિવસ સુધી માના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કોઇ પણ મંત્રનું અનુષ્ઠાન પણ કરી શકાય છે. જેમાં નિશ્ચિત સંખ્યામાં નિશ્ચિત સમયે અને સ્થાનં મંત્રોજાપ કરવાના હોય છે. નવરાત્રિમાં કરેલા જાપનું શીઘ્ર ફળ મળતુ હોવાથી અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. માની અખંડ જ્યોત સાથે અનુષ્ઠાન કરવાનું વિધાન છે એટકે  9 દિવસ સુધી માના પૂજા સ્થાને અખંડ દીપક રાખવામાં આવે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget