Jagannath Rath yatra 2025: અષાઢી બીજ ક્યારે? જાણો રથયાત્રા અને આ દિવસનું શું છે કનેકશન અને પરંપરા
Jagannath Rath yatra 2025: 27 જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે. આ દિવસે જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. જાણીએ અષાઢી બીજ અને રથાયત્રાનું શું છે કનેકશન

Jagannath Rath yatra 2025: 27 જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે. આ દિવસને હિન્દુ પંચાગમાં શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસને વણજોયુ મૂહૂર્ત માનવામાં આવે છે. આ પાવન દિવસે કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવું અતિ શુભ મનાયા છે. આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાઇ છે.
વૈદિક કેલેન્ડર મુજબ, દર વર્ષે આ યાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખથી શરૂ થાય છે અને બીજા દિવસે 9 દિવસ સુધી રથયાત્રાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન જગન્નાથ રથયાત્રા કેવી રીતે શરૂ થઈ
2025માં જગન્નાથ યાત્રા ક્યારે શરૂ થશે?
વૈદિક કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 26 જૂને બપોરે 1:25 વાગ્યે શરૂ થશે. આ તિથિ બીજા દિવસે 27 જૂને સવારે 11:19 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, આ વર્ષે 2025માં, જગન્નાથ રથયાત્રા 27જૂનથી શરૂ થશે.
જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?
જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, બાલા ભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગરની પ્રદક્ષિણા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બધા દુ:ખ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ અનુસાર, એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથે ભાઈ બળ ભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી. આ પછી, તે ત્રણેય તેમના કાકીના ઘરે ગુંડીચા મંદિર પહોંચ્યા, જ્યાં તેઓ સાત દિવસ રહ્યા. આ પછી તેઓ તેમના નિવાસસ્થાને પાછા ફર્યા. ત્યારથી, દર વર્ષે આ ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે.




















