શોધખોળ કરો

Railway Budget 2023 : જાણો બજેટમાં રેલવેને લઈને શું શું જાહેરાત કરાઈ?

બજેટ ભાષણ દરમિયાન રેલવેનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ વખતે રેલવેનું બજેટ વધારીને 2.4 લાખ કરોડ કરવામાં આવ્યું છે.

Railway Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત પાંચમી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, અમે સબકા પ્રયાસ દ્વારા નક્કર નીતિઓ બનાવી, જેના પરિણામે લોકોને ફાયદો થયો છે. આ દરમિયાન નાણામંત્રીએ રેલવે બજેટની પણ જાહેરાત કરી હતી. જાહેરાત કરતાની સાથે જ સીતારમણે કહ્યું હતું કે, આ વખતે રેલવેનું કુલ બજેટ 2.4 લાખ કરોડનું હશે. ચાલો જાણીએ આ 10 મોટી બાબતોમાં કે આ બજેટમાં રેલવેને લઈને કઈ મોટી જાહેરાતો કરવામાં આવી અને સામાન્ય માણસને શું મળ્યું.

બજેટ ભાષણ દરમિયાન રેલવેનો ઉલ્લેખ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ વખતે રેલવેનું બજેટ વધારીને 2.4 લાખ કરોડ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એટલે કે 2022માં રેલ્વેનું કુલ બજેટ 140367.13 કરોડ રૂપિયા હતું.

નાણામંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2013-14ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે. રેલવે બજેટમાં આ મોટો વધારો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેના બજેટમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

નાણામંત્રીએ કહ્યું કે રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓ ઓળખવામાં આવી છે. જેના પર આગળની કામગીરી કરવામાં આવશે.

રેલવેની નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું વધારાનું ફંડ આપવામાં આવ્યું છે. તે આવનારા નાણાકીય વર્ષમાં શરૂ થનારા નવા પ્રોજેક્ટ પર ખર્ચ કરવામાં આવશે.

આ વખતે બજેટમાં રેલવે બજેટમાં વધારો કરવા ઉપરાંત વધુ જાહેરાત કરવામાં આવી નથી. કારણ કે, રેલવેના ઘણા મહત્વના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, રેપિડ ટ્રેન, ચેનાબ નદી રેલવે બ્રિજ, બૈરબી-સાયરાંગ નવી લાઇન રેલવે પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે.

Budget 2023: મોદી સરકાર ધનિકો પર રિઝી, ઈન્કમ ટેક્સમાં સીધો 4 ટકાનો કર્યો ઘટાડો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યું. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહતવ્નું માનવામાં આવે છે.  

કેટલી આવક લાગશે કેટલો ટેક્સ

જેમાં તમણે કહ્યું, નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારીHun To Bolish : હું તો બોલીશ : શિક્ષકના વેશમાં શેતાનHun To Bolish : હું તો બોલીશ : કેમ ભૂલ્યા ભાન?Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
Gandhinagar:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Embed widget