Union Budget 2023 Reactions Live Update: બજેટ અંગે સીએમ ભુપેન્દ્ર પટેલે જાણો શું આપી પ્રતિક્રિયા ?
નાણામંત્રીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે

Background
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે, યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે. અહીં જાણો ખેડૂતો માટે અન્ય કઈ કઈ જાહેરાતો કરવામાં આવી હતી.
નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ પોર્ટલ પર દરરોજ 72 લાખ અરજીઓ આવે છે અને અમે રિફંડ પ્રક્રિયાને 16 દિવસ સુધી લાવ્યા છીએ. આમાં અમે વધુ સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
બજેટ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર૦૪૭ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કહ્યું
બજેટને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે 'બજેટમાં કોઈ રાહત નથી, મોંઘવારી વધારી દીધી છે'
इस बजट में महंगाई से कोई राहत नहीं। उल्टे इस बजट से महंगाई बढ़ेगी
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 1, 2023
बेरोज़गारी दूर करने की कोई ठोस योजना नहीं।
शिक्षा बजट घटाकर 2.64 % से 2.5 % करना दुर्भाग्यपूर्ण
स्वास्थ्य बजट घटाकर 2.2 % से 1.98 % करना हानिकारक





















