શોધખોળ કરો
સીનિયર સિટીઝન્સ માટે રેલવેનો નવો નિયમ, રાહત મેળવવા માટે આધાર નંબર જરૂરી, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
1/4

રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આગામી વર્ષે પહેલી એપ્રિલ બાદ કોઇ સિનિયર સિટિઝન આધારકાર્ડ નંબર આપશે નહીં તો તેને ટિકિટ તો મળશે પરંતુ ભાડામાં મળનાર ૫૦ ટકાની છુટછાટ મળશે નહીં. રેલવેએ પોતાના સિસ્ટમમાં ફેરફાર કરવા માટે આઈટી યુનિટ ક્રિસને આદેશ આપી દીધા છે. રેલવે અધિકારીઓના કહેવા મુજબ સિનિયર સિટિઝનવાળા પ્રયોગ બાદ તેને અન્ય યાત્રીઓ માટે પણ લાગૂ કરાશે. આનાથી રેલવે ટિકિટની કાળાબજારીને પણ રોકી શકાશે.
2/4

આઈઆરસીટીસી પણ પહેલી જાન્યુઆરીથી આધારકાર્ડની વિગતો લેવાની શરૂઆત કરશે. ત્યારબાદ વ્યવસ્થા એવી ઉભી કરવામાં આવશે કે ઓનલાઈન આધાર નંબર મુકતાની સાથે જ યાત્રીની વિગતો આવી જશે. આની સાથે જ ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ વધારે સમય લાગશે નહીં. બીજો મોટો ફાયદો એ થશે કે રેલવે ટિકિટમાં દલાલી ઘટી જશે. દલાલો માટે કોઇપણ નામથી ટિકિટ બુક કરીને વેચવાનું મુશ્કેલરૂપ બની જશે.
Published at : 05 Dec 2016 08:08 AM (IST)
View More





















