બજેટ દરમિયાન સરકારે આ જોગવાઈનું એલાન કર્યું હતું. આ નિયમની શરૂઆત ૧ એપ્રિલથી જ થવાની હતી પણ હવે કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ૨ લાખ રૂપિયા થઈ છે. એટલે કે હવે તમે જો કોઈની પાસે ૨ લાખ કે તેનાથી વધુની રોકડ સ્વીકારો તો તમારે ૧૦૦ ટકા દંડ ચૂકવવો પડશે.
2/4
જે મુજબ જો વ્યક્તિ ચાર લાખ રૂપિયા રોકડમાં સ્વીકારે તો તેણે દંડ ચાર લાખ રૂપિયા જ ભરવો પડશે. આ રીતે ૫૦ લાખ રૂપિયા રોકડમાં લેવાય તો તેણે દંડની રકમ ૫૦ લાખ રૂપિયા જ ભરવી પડશે. આ દંડ એ વ્યક્તિ પર લાગશે કે જે રોકડનો સ્વીકાર કરશે.
3/4
મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલા આર્થિક સંશોધન બિલમાં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ ટ્વીટ કરીને સરકારના આ પગલાં અંગે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારે કાળા નાણાં પર લગામ કસવા અંગે રચાયેલી એસઆઈટીની ભલામણના આધારે ત્રણ લાખથી વધુના કેશ ટ્રાન્ઝેક્શન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
4/4
નવી દિલ્હીઃ હવે જો તમે 2 લાખ રૂપિયાથી વધારેની રોકડ લેવડ દેવડ કરશો તો તમારે 100 ટકા દંડ આપવો પડશે. સરકારે મંગળવારે રોકડ લેવડ દેવડની મર્યાદા 3 લાખથી ઘટાડીને 2 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે. આ પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ બજેટ ભાષણ 2017માં કાળાનાણાં પર અંકુશ લાવવા માટે રોકડ લેવડ દેવડની મર્યાદા 3 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. સરકાર હવે આ મર્યાદા ઘટાડીને 2 લાખ રૂપિયા કરવા માગે છે.