શોધખોળ કરો
મોદી સરકાર આપશે નવો ઝટકો, રોકડથી ખરીદી કરી કે ATMમાંથી ઉપાડ્યા તો ભરવો પડશે કેટલો ટેક્સ, જાણો
1/6

રોકડેથી સરકારી સેવા લેવાનુ પણ મોંઘુ પડશે અને ૧ લાખથી વધુની લેવડદેવડ પર વધારાનો ચાર્જ લેવાશે. સરકાર આ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ ઉપરાંત કેશલેસ પગાર પણ કરવો પડશે. કર્મચારીઓને પગાર ચેક અથવા ઇલેકટ્રોનીક માધ્યમથી આપવાના રહેશે. સરકાર બીલ લાવવાને બદલે આ અંગે વટહુકમ લાવશે. લોકો કેશ પેમેન્ટ ન કરે તે માટે સરકાર એટીએમ અને બેંકમાંથી રોકડ ઉપાડ પર કેશ ટ્રાન્ઝેકશન ચાર્જ લગાવી શકે છે. રોકડ દ્વારા ચુકવણા પર પણ આવો ચાર્જ લાગશે.
2/6

સુત્રોનુ માનીએ તો સરકાર એક દિવસમાં પ૦,૦૦૦થી વધુના ઉપાડ પર ચાર્જ લગાવી શકે છે. જો કોઇ વ્યકિત દિવસમાં અનેક વખત ટુકડે-ટુકડે આનાથી વધુ રકમ કાઢશે તો તેણે રખરખાઉ ચાર્જ આપવો પડશે. એટીએમમાં આ વ્યવસ્થા ર૪ કલાક ચાલુ રહેશે અને ૧પ૦૦૦નો ઉપાડ ચાર્જમુકત હશે. તેથી ઉપરના ઉપાડ પર ચાર્જ લાગશે.
Published at : 21 Dec 2016 11:44 AM (IST)
View More























