શોધખોળ કરો
ભારતના ધનાવાનો વધુ ધનાઢ્ય બન્યા, મુકેશ અંબાણી ટોચ પર
1/4

યોગગુરુ બાબા રામદેવના નિકટના સાથી અને પતંજલિ આયુર્વેદનું સંપૂર્ણ સંચાલન કરતા આચાર્ય બાલકૃષ્ણ લાંબી છલાંગ લગાવીને આ યાદીમાં ૧૯મા સ્થાન પર આવી ગયા છે. તેમની સંપત્તિ ૬.૫૫ અબજ ડોલર એટલે કે ૪૩ હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં ૪૮મા ક્રમ પર હતા. મેગેઝિને લખ્યું છે કે ‘ભારતની આર્થિક સ્થિતિ નરમ હોવા છતાં યાદીમાં સમાવાયેલા ધનવાનોની સંયુક્ત સંપત્તિ ૨૬ ટકા વધીને ૪૭૯ અબજ ડોલર એટલે કે ૩૧ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.’
2/4

ફોર્બ્સ મેગેઝિને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક ક્ષેત્રે લીધેલા પગલાંની ભારતના અબજોપતિઓ પર નામમાત્રની અસર થઈ છે. છેલ્લાં એક વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૫.૩ અબજ ડોલર એટલે કે ૬૭ ટકાનો જબરદસ્ત વધારો થઈ ગયો છે. આ રીતે તેમણે એશિયાના ટોચના ઉદ્યોગપતિઓમાં તેમનું સ્થાન વધારે મજબૂત કરી દીધું છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી આ યાદીમાં ૪૫મા ક્રમ પર રહ્યા છે. તેમની સંપત્તિ ૩.૧૫ અબજ ડોલર આંકવામાં આવી છે. ગયા વર્ષે તેઓ ૩૨મા સ્થાન પર અને ૨૦૧૫માં ૨૯મા સ્થાન પર રહ્યા હતા.
Published at : 06 Oct 2017 06:57 AM (IST)
View More























