શોધખોળ કરો
Ideaએ શરૂ કરી સ્પેશિયલ નવી સર્વિસ, હવે આ રીતે નંબર જણાવ્યા વગર કરી શકાશે ફોન રિચાર્જ
1/5

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની વોડાફોન બાદ આઈડિયાએ પણ ગ્રાહકોને ખાસ કરીને મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી સર્વિસ શરૂ કરી છે. તે અંતર્ગત યૂઝર્સ રિટેલર્સને મોબાઈલ નંબર જણાવ્યા વગર પણ રિચાર્જ કરાવી શકશે. તેનાથી મોબાઈલ નંબરનો દુરુપયોગ થવાની શક્યતા ઓછી થઈ જશે.
2/5

તેના માટે યૂઝર્સને સૌથી પહેલા એક એસએમેસ મોકલવાનો રહેશે. યૂઝર્સે PRIVATE લખીને 12604 પર મોકલવાનો રહેશે. ત્યાર બાદ યૂઝરના મોબાઈલ પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) આવી જશે. ઓટીપીમાં મળનાર કોરડ દ્વારા ગ્રાહક કોઈપણ મલ્ટી આઉટલેટથી ફોન રિચાર્જ કરાવી શકશે. રિચાર્જ કરાવવા માટે ગ્રાહકોએ પોતાના મોબાઈલ નંબરની જગ્યાએ ઓટોપીમાં મળેલ કોડ જણાવવાનો રહેશે. આ નંબરને ઈ રિચાર્જમાં નોંધ્યા બાદ તમારો મોબાઈલ રિચાર્જ થઈ જશે.
Published at : 08 Mar 2017 01:06 PM (IST)
View More























