શોધખોળ કરો

રાજ્યની 8,000થી વધુ ST બસોમાં QR કોડથી અપાશે ફીડબેક, હવે એક સ્કેનથી દૂર થશે તમારી બધી ફરિયાદો

GSRTC QR code passenger feedback: માર્ચથી જૂન 2026 વચ્ચે 3.13 લાખથી વધુ મુસાફરોએ આપ્યો પ્રતિભાવ; હવે એસટી બસની સફર બની વધુ સુરક્ષિત અને સ્માર્ટ, મુસાફરોની ફરિયાદો પર લેવાશે ત્વરિત પગલાં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • GSRTCએ મુસાફરલક્ષી QR ફીડબેક સિસ્ટમ 8,000 બસોમાં લાગુ કરી.
  • 3.13 લાખ મુસાફરોએ સરેરાશ 4.7 સ્ટારનું રેટિંગ આપ્યું.
  • ફરિયાદો સંબંધિત વિભાગોને મોકલી તાત્કાલિક સ્થળ પર નિરાકરણ.

GSRTC QR code passenger feedback: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે આપણી ST બસની મુસાફરી હવે પહેલા કરતા વધુ સ્માર્ટ અને મુસાફરલક્ષી બની ગઈ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી 'QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ' હવે રાજ્યના 125 બસ સ્ટેશનો અને 8,000 કરતાં વધુ બસોમાં લાગુ કરી દેવાઈ છે. ખાસ વાત એ છે કે, આ સિસ્ટમને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને મુસાફરોએ એસટી નિગમની સેવાઓને 5 માંથી સરેરાશ 4.7 સ્ટારનું જોરદાર રેટિંગ આપીને પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે.

માત્ર પ્રીમિયમથી શરૂ થયેલી સફર હવે તમામ બસો સુધી

ગયા વર્ષે માર્ચ 2025માં નિગમે પાયલટ પ્રોજેક્ટ તરીકે માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં જ આ સુવિધા શરૂ કરી હતી. તેમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા હવે તેને મોટા પાયે લાગુ કરવામાં આવી છે. હવે તમે બસમાં બેઠા-બેઠા જ સીટ પાસે લગાવેલો QR કોડ સ્કેન કરીને તમારા મોબાઈલથી બસની સુવિધા વિશે તમારો અભિપ્રાય (ફીડબેક) સીધો જ તંત્ર સુધી પહોંચાડી શકો છો.

3.13 લાખ મુસાફરોએ આપ્યું જોરદાર રેટિંગ

આંકડાઓ પર નજર કરીએ તો, 1 માર્ચથી 19 જૂન, 2026 સુધીમાં 3,13,824 જેટલા મુસાફરોએ આ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાનો ફીડબેક આપ્યો છે. આ રિપોર્ટ બતાવે છે કે લોકો ST બસની સુવિધાઓથી ખુશ છે. મુસાફરોએ અલગ-અલગ સુવિધાઓ માટે 1 થી 5 સ્ટાર વચ્ચે નીચે મુજબનું શાનદાર રેટિંગ આપ્યું છે:

સ્ટાફનું વર્તન: 4.9 / 5.0 સ્ટાર

મુસાફરોની સુરક્ષા: 4.9 / 5.0 સ્ટાર

બસની સ્વચ્છતા: 4.8 / 5.0 સ્ટાર

સીટની આરામદાયકતા: 4.8 / 5.0 સ્ટાર

સમયસર સેવા (Punctuality): 4.8 / 5.0 સ્ટાર

આ પણ વાંચોઃ ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા

ફરિયાદો પર સ્પોટ પર જ લેવાય છે એક્શન

આ સિસ્ટમ ફક્ત સારા રેટિંગ લેવા પૂરતી સીમિત નથી, પણ લોકોની ફરિયાદો પર તરત જ એક્શન પણ લેવાય છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુસાફરો દ્વારા મળતા સૂચનો કે ફરિયાદો સીધી જ લાગતા-વળગતા વિભાગ અને સ્થાનિક ડેપો સુધી પહોંચાડી દેવામાં આવે છે. આ ફરિયાદોની કોઈ જ વિલંબ વગર ચકાસણી થાય છે અને જરૂરી હોય ત્યાં સ્પોટ પર જ તેનું નિરાકરણ લાવવામાં આવે છે.

GSRTC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુસાફરોનો આ પ્રતિભાવ સિસ્ટમને વધુ સારી બનાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. નિગમ ગુજરાતના નાગરિકોને સુરક્ષિત અને વિશ્વસનીય સફર પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

આ પણ વાંચોઃ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીનો પહેલો નિર્ણય: GSRTCના 36,000 કર્મચારીઓ માટે આ રકમ વધારીને ડબલ કરી, જાણો કેટલો ફાયદો થશે

Frequently Asked Questions

GSRTC દ્વારા કઈ નવી ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે?

GSRTC દ્વારા QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આનાથી મુસાફરો પોતાની યાત્રા અંગેનો અભિપ્રાય સીધો જ તંત્ર સુધી પહોંચાડી શકે છે.

આ ફીડબેક સિસ્ટમ ક્યાં લાગુ કરવામાં આવી છે અને કોના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ છે?

આ સિસ્ટમ રાજ્યના 125 બસ સ્ટેશનો અને 8,000 થી વધુ બસોમાં લાગુ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ સુવિધા શરૂ થઈ છે.

GSRTC ની QR કોડ ફીડબેક સિસ્ટમને કેવો પ્રતિસાદ મળ્યો છે?

આ સિસ્ટમને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 3.13 લાખથી વધુ મુસાફરોએ સરેરાશ 4.7 સ્ટારનું રેટિંગ આપી પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે.

મુસાફરો દ્વારા કરાતી ફરિયાદો પર કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે?

ફરિયાદો સીધી જ લાગતા-વળગતા વિભાગ અને સ્થાનિક ડેપો સુધી પહોંચાડાય છે. તેની ચકાસણી કરી જરૂરી હોય ત્યાં સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Advertisement

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget