શોધખોળ કરો
IT ક્ષેત્રે આગામી 1-2 વર્ષ ચાલશે છટણીનો દોર, ડિજિટાઈઝેશન અને ઓટોમેશન કારણભૂત
1/6

હાલનો તબક્કો પડકારરૂપ હોવા છતાં અલ્પકાલીન છે તેમ તેમણે જણાવ્યું હતું. ટેલેન્ટ મેનેજમેન્ટ સોલ્યુશન પ્રોવાઈડર કેલીઓસીજી ઈન્ડિયાના કન્ટ્રી ડિરેક્ર ફ્રાન્સિસ પદ્મનાભનના જણાવ્યાં અનુસાર આગામી થોડા સમય દરમિયાન દેશની આઈટી કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા તર્કબદ્ધ સ્તર સુધી લાવવાની પ્રક્રિયા જારી રહેશે. જાપાનીઝ બ્રોકરેજ કંપની નોમુરાએ તાજેતરમાં એક રિસર્ચ નોટમાં જણાવ્યું હતું કે ઈન્ફોસિસ, કોગ્નિઝન્ટ, ટેક મહિન્દ્રા તથા વિપ્રોના આશરે 7,60,000 કર્મચારીઓમાંથી 2-3 ટકાની છટણી બહુ વધુ ના કહી શકાય. જ્યાં સુધી કર્મચારીઓ નવી ડિજિટલ ટેક્નોલોજીસને આત્મસાત ના કરી લે ત્યાં સુધી છટણીની કામગીરી જોવા મળી શકે છે.
2/6

ગોયેલે વધુમાં જણાવ્યું હતું કે છટણીની પ્રક્રિયા 1-2 વર્ષ સુધી ચાલે તેવી શક્યતા હોવા છતાં આઈટી ક્ષેત્રના કર્મચારીઓ માટે પોતાને નવી ટેક્નોલોજી પ્રમાણે અપગ્રેડ કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. મોટાભાગે મેન્યુઅલ ટેસ્ટિંગ, ટેક્નોલજી સપોર્ટ તથા સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન જેવા વિભાગોમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તથા રોબોટિક પ્રોસેસ ઓટેમેશનથી કામગીરીનું સંચાલન થવાનું વલણ વધ્યું હોઈ આ ક્ષેત્રોમાં છટણી થવાની શક્યતા વધુ છે. જોકે બીજી બાજુ ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ) તથા ડિજિટલ ડોમેઈન આધારિત ચોક્કસ આવડતના ક્ષેત્રોમાં કર્મચારીઓની માગમાં ઉછાળો જોવાશે.
Published at : 15 May 2017 08:15 AM (IST)
Tags :
InfosysView More























