શોધખોળ કરો
Paytmએ કરાવ્યો ડિજિટલ વોલેટનો વીમો, હવે મોબાઈલ ખોવાઈ કે ફ્રોડથી થનારા નુકસાનની થશે ભરપાઈ
1/5

જો તમારો ફોન ચોરાય જાય અથવા ખોવાઈ જાય તો ઉપભોક્તાને 12 કલાકની અંદર Paytmને care@paytm.com પર ઈમેલ કરી અથવા કસ્ટમર કેર નંબર +91 9643 979797 પર ફોન કરીને જાણ કરવાની રહેશે. જો મોબાઈલ ખોવાઈ જાય તો FIRની કોપીની સાથે કંપનીને 12 કલાકની અંદર જાણકારી આપવાની રહેશે.
2/5

કંપનીએ આ નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વોલેટ કંપનીઓ અને વીમા કંપનીઓએ સાથે મળીને કામ કરવાની ભલામણ કરી છે, જેથી મોબાઈલ વોલેટમાં રૂપિયાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કંપનીએ પોતાના બ્લોગના માધ્યમથી કહ્યું છે કે, તમામ ઉપભોક્તાઓની 20,000 રૂપિયા અથવા તેમના વોલેટમાં જમા રકમ (બન્નેમાંથી જે ઓછી હશે તે) રકમનો વીમો હશે.
Published at : 21 Mar 2017 02:55 PM (IST)
View More























