શોધખોળ કરો
શું તમે જિઓનું 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું, તો તમને વધુ 28 દિવસ સુધી મળશે ફ્રી સુવિધાઓ
1/3

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ શરૂઆતથી જ પોતાના ગ્રાહકોને વધુમાં વધુ લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ જ પ્રયત્નના ભાગરૂપે હવે કંપનીએ નવું પગલું ભર્યું છે. જે ગ્રાહકોએ સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત પ્રાઈમ મેમ્બરશિપની સાથે 303 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું તે યૂઝર્સને કંપની હવે 28 દિવસ સુધીનું એક્સટેંશન આપી રહી છે. તેનો મતલબ એ થયો કે કંપનીએ એવા તમામ ગ્રાહકોના પ્લાનની વેલિડિટી 28 દિવસ વધારી દીધી છે. હવે આ આ ગાળો ખતમ થયા બાદ જ યૂઝર્સે નવું રિચાર્જ કરાવવાનું રહેશે.
2/3

તમને સમર સરપ્રાઈઝ ઓફરના પ્લાનમાં 28 દિવસનો વધારાનો લાભ મળ્યો છે કે નહીં તે જાણવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં માય જિઓ એપ ડાઉનલોડ કરવાની રહેશે. માય જિઓ એપ ખોલતા જ તમારી સામે એક ઇન્ફોર્મેશન આવશે, જેમાં સમર સરપ્રાઈઝ આગળ તેની પૂરી થવાની તારીખ લખેલ હશે.
Published at : 21 Jul 2017 08:07 AM (IST)
Tags :
Reliance JioView More























