શોધખોળ કરો
PNB કૌભાંડ: નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિન જામીનપાત્ર વોરંટ
1/3

જણાવી દઈએ કે પીએમએલએ કોર્ટે જજ એમએસ આઝમીએ મંગળવારે ઈડીના વિશેષ વકીલ હિતેન વેનેગાંવકરે નીરવ મોદી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવા માંગ કરી હતી. જો કે તેના પહેલા સીબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા વોરંટનો જવાબ આપતા નીરવ મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તે વિદેશમાં વ્યસ્ત છે તેથી તે ભારત નહીં આવી શકે. ઈડીએ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી કાર્યવાહી કરતા મેહુલ ચોક્સીની 41 જેટલી સંપત્તિઓ જપ્ત કરી છે. જેની કિંમત 1217 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે.
2/3

મુંબઈ: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે મુંબઈની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે બિન-જામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું છે. પીએનબીમાં મહાકૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની મુશ્કેલી વધી રહી છે. સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ કોર્ટ દ્વારા બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. હાલ બન્ને આરોપી દેશની બહાર છે.
Published at : 03 Mar 2018 10:21 PM (IST)
View More























